Ind Vs Pak Match analysis: પાકિસ્તાની કેપ્ટનના મગજમાં એવી રણનીતિ ચાલી રહી હતી કે જો પાકિસ્તાની બોલરો ભારતીય બેટ્સમેનને ઓછા રનોમાં સમેટી દે છે અને બીજી ઇનિંન્ગમાં પાકિસ્તાની ટીમને માત્ર થોડીક ઓવર જ રમી પડે છે તો એમાં પાકિસ્તાની ટીમ પૂરી રીતે સક્ષમ છે.
ભલે મેચ હાર્યા બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદની ટીકા થઇ રહી છે. જો કે પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ અને ટીમ બંને એ વાતને ધ્યાનમાં રાખીને ક્રિકેટ રમી રહ્યા હતા કે મેચમાં વરસાદ થવાની પૂરી શક્યતા છે. ભૂતકાળને ધ્યાનમાં રાખીએ તો ડકવર્થ લૂઇસના નિયમનો લાભ હંમેશા પહેલા બોલિંગ કરનારી ટીમને મળ્યો છે.
એક દિવસ પહેલા થયો હતો ભારે વરસાદ
વાસ્તવમાં મેનચેસ્ટરના આ મેદાનમાં મેચના એક દિવસ પહેલા બપોરે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ મેચ પહેલા પણ અહીંયા વરસાદ પડી રહ્યો હતો. એટલા માટે પાકિસ્તાની કેપ્ટનનું પૂરું દબાણ એ વાત પર હતું કે જો વરસાદના કારણે મેચમાં ભંગાણ પડે છે તો કેવી રીતે ભારતના હાથથી મેચ નિકાળી શકાય. એવામાં પાકિસ્તાનની સૌથી સફળ રણનીતિ એવી જ હતી કે પહેલા બોલિંગ કરવામાં આવે, કારણ કે પાકિસ્તાનને હંમેશાથી પોતાના બેટ્સમેન કરતાં બોલરો પર ભરોસો રહ્યો છે.
એવામાં પાકિસ્તાની કેપ્ટનના મગજમાં એવી રણનીતિ ચાલી રહી હતી કે જો પાકિસ્તાની બોલરો ભારતીય બેટ્સમેનને ઓછા રનોમાં સમેટી દે છે અને બીજી ઇનિંન્ગમાં પાકિસ્તાની ટીમને માત્ર થોડીક ઓવર જ રમી પડે છે તો એમાં પાકિસ્તાની ટીમ પૂરી રીતે સક્ષમ છે.
જો આ ટીમને ડકવર્થ લૂઇસ હેઠળ 15 અથવા 20 ઓવરોમાં 150 અથવા એનાથી વધારે રન પણ કરવાના હોત તો ટીમ પૂરી તાકાત લગાવી દેતી, પાકિસ્તાની ટીમમાં આ રણનીતિને અપનાવતા ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો.
રોહિત-રાહુલ-કોહલીએ બગાડ્યો પાકિસ્તાનનો ખેલ
પરંતુ સંયોગથી પરસાદે એ સ્તર પર મેચમાં ખલેલ નાંખી નહીં અને જ્યારે નાંખી તો મેચ પાકિસ્તાનના હાથથી નિકળી ચુકી હતી. જો કે પાકિસ્તાની રણનીતિની હવા ભારતીય બેટ્સમેને જ નિકાળી દીધી હતી. કારણ કે જે તૈયારી સાથે પાકિસ્તાને પહેલા બોલિંગને પસંદ કરી એવું કરવામાં પૂરી રીતે નિષ્ફળ રહ્યા.
બોલર મોહમ્મદ આમિર ઉપરાંત કોઇ બીજો બોલર પ્રભાવિત કરી શક્યો નહીં અને ભારત તરફથી રોહિત શર્મા, કેએલ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ જેવી રીતે રન બનાવ્યા એનાથી પાકિસ્તાનની હવા નિકળી ગઇ.