ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. વન ડે અને T 20 સીરીઝ બાદ હવે બંને ટીમ વચ્ચે ટેસ્ટ મેચની સીરીઝ શરુ થવા જઈ રહી છે. ભારતની દ્રષ્ટિથી આ મેચ ખૂબ અગત્યની છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ 52 વર્ષ જુનો ઈતિહાસ પુનરાવર્તિત કરી શકે છે. જો ભારતીય ટીમ મેચમાં જીત નોંધાવે તો વિરાટ કોહલી ઈતિહાસ રચી દેશે. આ સિવાય પણ વિરાટ કોહલી અન્ય એક રેકોર્ડ પણ રચી શકે છે. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌરવ ગાંગુલીના રેકોર્ડથી માત્ર 11 રન દૂર છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં ફરીથી રચાશે ઈતિહાસ
મન્સુર અલી ખાન પટૌડી બાદ કોઈ પણ કેપ્ટનના નેતૃત્વમાં ભારતને આ મેદાન પર નથી મળી જીત
ભારત જીતે તો વિરાટ કોહલી 52 વર્ષ જુનો ઈતિહાસ પુનરાવર્તિત કરશે
કોહલી પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક
આવતી કાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ટી 20 સીરીઝમાં ખરાબ રીતે હાર્યા બાદ ભારતીય ટીમની નજર જીત પર જ હશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ સમગ્ર દુનિયામાં નંબર વન છે. પરંતુ નોંધનીય છે કે વેલિંગટનના મેદાનમાં ભારતનો ઈતિહાસ એટલો સારો નથી રહ્યો. એવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચી દેવાની તક છે.
52 વર્ષથી આ મેદાન પર નથી જીત્યું ભારત
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની ધરતી પર 23 ટેસ્ટ રમી ચુકી છે જેમાં 10 મેચ ડ્રો થઇ છે. પાંચ મેચમાં ભારતે જીત નોંધાવી હતી જયારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાનની વાત કરીએ તો મેદાન પર 52 વર્ષથી ભારતને જીત મળી જ નથી. વેલિંગટનમાં ભારતીય ટીમ મન્સુર અલી ખાન પટૌડીની કેપ્ટનશીપમાં 1968માં ભારતે ન્યૂઝીલેન્ડ સામે જીત હાંસલ કરી હતી.
સૌરવ ગાંગુલીના રનનો રેકોર્ડ પણ તોડશે કોહલી
હવે વિરાટ કોહલી પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે. મન્સુર અલી ખાન બાદ કોઈ પણ કેપ્ટન ભારતને આ મેદાન પર ભારતને જીત અપાવવામાં સફળ રહ્યા નથી. તેથી કેપ્ટન વિરાટ કોહલી આ સીરીઝમાં જીત હાંસલ કરવા પૂરાં પ્રયત્નો કરશે. વિરાટ કોહલી આ મેચમાં વધુ એક રેકોર્ડ તોડી શકે છે. ગાંગુલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7212 રન કર્યા છે જયારે વિરાટ કોહલી સૌરવ ગાંગુલીના આ રેકોર્ડથી માત્ર 11 રન દૂર છે. ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર ટોચ પર છે.