રાહુલ દ્વવિડ પોતાના શાંત સ્વભાવ અને શાનદાર કોચિંગ માટે જાણીતા છે. પરંતુ પહેલી ટેસ્ટ બાદ તેમણે એક મોટુ કાર્ય કર્યું છે. તેમના આ નિર્ણયને તમામ સલામ કરી રહ્યા છે.
5 દિવસ સુધી શાનદાર કામ અને સારી પિચ બનાવવા માટે દ્વવિડે આપ્યું ઇનામ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો
તેમણે મેચ બાદ કાનપુર ગ્રીન પાર્ક સ્ટેડિયમના ગ્રાઉન્ડમેનને 35 હજાર રૂપિયા આપ્યા છે. 5 દિવસ સુધી શાનદાર કામ અને સારી પિચ બનાવવા માટે દ્વવિડે આવું કર્યું છે. મેચના 5માં અને અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ 94 ઓવર બેટિંગ કરી અને માત્ર 8 વિકેટ ગુમાવી છે. આ રીતે 2 મેચોની સીરીઝ તમામ 0-0થી બરાબર છે. અંતિમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.
મેચ બાદ ઉપ્ર ક્રિકેટ એસોસિએશને કહ્યું કે, અમે સત્તાવારરીતે જાહેરાત કરવા માંગીએ છીએ. રાહુલ દ્રવિડે વ્યક્તિગત રીતે અમારા ગ્રાઉન્ડમેનને 35 હજાર રૂપિયા આપ્યા છે. મહત્વનું છે કે, 5 દિવસ સુધી ચાલેલા મુકાબલામાં ટીમ ઇન્ડિયાના બોલરોએ 19 વિકેટ ઝડપ્યા. ત્યારે, ન્યૂઝીલેન્ડના બોલરોને 17 વિકેટ મળી. મેચમાં બેટ્સમેન અને બોલર બન્નેની બોલબાલા રહી. મહત્વનું છે કે, કોચ દ્રવિડની આ પહેલી ટેસ્ટ સીરીઝ પણ છે.
સ્પિન ત્રિપુટી ન લઇ શકી 9 વિકેટ
અંતિમ દિવસે ભારતીય ટીમને મેચ જીતવ માટે 9 વિકેટની જરૂરિયાત હતી. આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના રૂપમાં ટીમની પાસે સ્પિન ત્રિપુટી હાજર હતી. પરંતુ તેઓ માત્ર 8 વિકેટ જ લઇ શક્યા. જોકે, ટીમમાં પાછળથી ઇનિંગ જાહેર કરવા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ચોથા દિવસે ન્યૂઝીલેન્ડ માત્ર 4 ઓવરમાં બેટિંગનો મોકો મળ્યો હતો.
સીરીઝનો અંતિમ મુકાબલો 3 ડિસેમ્બરથી થવાનું છે. કેપ્ટન વિરાટ કોહલી આ મેચથી વાપસી કરી રહ્યા છે. તેઓ ટી20 સીરીઝમાં પણ નહોતા ઉતર્યા. એટલે ટીમની પ્લેઇંગ 11માં ફેરફાર નક્કી છે.