ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને પોતાના જ ઘરમાં ત્રણ ટી-20ની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યુ છે. હવે આ બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. જેમાં પ્રથમ મેચ 25 નવેમ્બરે કાનપુરમાં રમાશે. મેચ માટે બંને ટીમોએ કમર કસી છે.
વિરાટની ગેરહાજરીમાં ભારતીય ટેસ્ટ ટીમની કમાન રહાણે સંભાળશે
વાઈસ કેપ્ટનની જવાબદારી ચેતેશ્વર પૂજારા સંભાળશે
ટેસ્ટ ક્રિકેટમાં રહાણેની વિશેષ સિદ્ધી, એક પણ મેચ હાર્યા નથી
વિરાટની ગેરહાજરીમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન અજિંક્ય રહાણેના હાથમાં છે. જ્યારે વાઈસ કેપ્ટનની જવાબદારી ચેતેશ્વર પૂજારા સંભાળશે. અજિંક્ય રહાણેએ કેપ્ટન તરીકે જે સિદ્ધી પ્રાપ્ત કરી છે, તે કોઈ ભારતીય દિગ્ગજે પ્રાપ્ત કરી નથી. ખરેખર, રહાણેએ અત્યાર સુધી કોહલીની ગેરહાજરીમાં 5 ટેસ્ટમાં સુકાનીપદ સંભાળ્યું છે. જેમાંથી એક પણ મેચ હાર્યા નથી. એક મેચ ડ્રો રહી છે.
રહાણે પોતાની સિદ્ધી યથાવત રાખવા કટીબદ્ધ
એવામાં રહાણે ભારતના એકલા એવા કેપ્ટન છે, જેણે 5 અથવા તેનાથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટન રહીને પણ એક પણ મેચ ગુમાવી નથી. રહાણે પોતાના આ વિજય રથને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં પણ યથાવત રાખવા ઈચ્છે છે. રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર ઘૂંટણિયે ટેકવી હતી. આ દરમ્યાન બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને પહેલી વખત ભારત વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન શ્રીકાંત પણ કોઈ મેચ હાર્યા નથી
જોકે, રહાણે પહેલાં કૃષ્ણમાચારી શ્રીકાંત એવા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રહ્યાં છે, જે કોઈ મેચ હાર્યા નથી. પરંતુ શ્રીકાંતે ત્યારે ફક્ત 4 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી. જોકે, તેમની કેપ્ટનશિપની એક વાત એવી પણ છે કે તેમણે 4 મેચમાંથી કોઈ પણ મેચ જીતી નહોતી. દરેક મેચ ડ્રો રહ્યાં હતા. એવામાં રહાણેની જીત અને રેકોર્ડ વધારે મહત્વપૂર્ણ થઇ જાય છે.