રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે બુધવારે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચ રમી. જેમાં પ્રથમ ટી-20 મેચમાં 5 વિકેટના નુકસાને જીત પ્રાપ્ત કરી છે.
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમની જીત
ત્રણ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ હવે 1-0થી આગળ
અંતમાં પંતે ચોગ્ગો ફટકારી ભારતીય ટીમને જીતાડી
રિષભ પંત ભારતીય ટીમને જીત તરફ લઇ ગયો
આ સાથે ત્રણ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ હવે 1-0થી આગળ છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને સુર્યકુમાર યાદવનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ આ બંને ખેલાડીઓ ભારતીય ટીમની જીત પહેલાં આઉટ થઇ પેવેલિયન પરત ફર્યા હતા અને અંતમાં યુવા વિકેટ કીપર રીષભ પંતે ચોગ્ગો ફટકારી હાર તરફ ફસાયેલી ટીમ ઈન્ડિયાને જીત પ્રાપ્ત કરાવી છે.
રીષભ પંતમાં જોવા મળી ધોનીની ઝલક
રોહિત અને સુર્યકુમાર પેવેલિયન પરત ફર્યા બાદ ભારતીય ટીમ થોડી મુશ્કેલીમાં આવી ગઇ હતી. ખરેખર, આ બંને બેટ્સમેનો આઉટ થયા બાદ શ્રેયસ ઐયર અને વેન્કટેશ ઐયર પણ થોડા સમયમાં પેવેલિયન પરત આવ્યાં. જોકે, પંતે એક બાજુ સંભાળી હતી અને ભારતીય ટીમને ચોગ્ગો ફટકારી અંતિમ ઓવરમાં જીત પ્રાપ્ત કરાવી હતી. આ કામ પંત પહેલાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતા હતા. પહેલાં પણ ભારતીય ટીમ જ્યારે જ્યારે મુશ્કેલીમાં ફસાતી હતી ત્યારે ધોની છેલ્લે વખતે આવીને ભારતીય ટીમને સફળતાના શિખરો સર કરાવ્યાં છે. અત્યારે ભારતીય ટીમમાં પંત એવા ખેલાડી છે, જેની અંદર ધોની જેવી ઝલક જોવા મળે છે.
પંતે પહેલાં પણ અંદાજ દેખાડ્યો છે
આ પહેલી તક નથી જ્યાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે પંતે ટીમને મુશ્કેલીમાં બહાર લાવી. અગાઉ પણ તેઓ આવી કરી ચૂક્યા છે. ખાસ કરીને જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની ભૂમિ પર સતત બીજી ટેસ્ટ હરાવી ત્યારે પણ તેમાં રીષભ પંતનો મોટો હાથ હતો. અંતે ટેસ્ટમાં પંતે નોટઆઉટ રહી 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી.