ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે મુંબાઇનાં વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. વરસાદને કારણે વાનખેડે ગ્રાઉન્ડ ભીનું હતું અને તેના કારણે ટોસમાં વિલંબ થયો હતો.
આજે મુંબઈમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
ભીની પિચના કારણે મોડી શરૂ થશે મેચ
પ્રથમ દિવસે 78 કલાકની રમત રમાશે
12 વાગ્યે શરૂ થશે મેચ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે મુંબાઇનાં વાનખેડે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. મુંબઈમાં છેલ્લા બે દિવસમાં વરસાદને કારણે વાનખેડે ગ્રાઉન્ડ ભીનું હતું અને તેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. અમ્પાયરોએ સવારે 9:30 વાગ્યે પિચનું નિરીક્ષણ કર્યું અને 10:30 વાગ્યે ફરીથી તપાસ કરી હતી.
આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે માત્ર 78 ઓવર્સની મેચ રમાશે અને 12 વાગ્યે મેચ શરૂ થશે. ટોસ 11:30 વાગ્યે થશે.
મેચ અગાઉ ભારતીય ટીમને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. ભારતીય ટીમના ત્રણ રેગ્યુલર ખેલાડીઓ આ મેચમાં નહીં રમી શકે. જે માટે BCCI દ્વારા ઇજાનું કારણ આપવામાં આવ્યું છે.
બંને ટીમના પ્રથમ ટેસ્ટના કેપ્ટન ગેરહાજર
તો સામે ન્યુઝીલેન્ડની ટીમમાંથી પણ કેપ્ટન કેન વિલિયમસન બીજી અને અંતિમ ટેસ્ટમાં નહીં રમી શકે તેવી જાહેરાત બ્લેક કેપ્સ દ્વારા કરવામાં આવી હતી.
Team News | BLACKCAPS captain Kane Williamson will miss the second and final Test against India in Mumbai as he continues to battle the left-elbow injury which has troubled him for much of 2021. More | https://t.co/VClIKxKI8Q#INDvNZpic.twitter.com/wGeA46LN4g
ટોસ મોડો થયો
આજે વરસાદમાં પલટો થવાના કારણે અને ચક્રવાતની ભીતિ વચ્ચે આજે વાનખેડેમાં ગ્રાઉન્ડ પણ ભીનું જોવા મળ્યું હતું. મેદાનમાં પિચ અને આઉટફિલ્ડ ભીની જોવા મળી હતી. જેના કારણે ટોસમાં મોડું થયું હતુ. અમ્પાયર્સ દ્વારા પરીક્ષણ કર્યા બાદ જ ટોસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને પ્રથમ ટેસ્ટનાં કેપ્ટન અજિંક્ય રહાણે ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. આ બે મેચની શ્રેણીની છેલ્લી મેચ છે અને અહીં જીતનારી ટીમ ટ્રોફી પણ જીતશે. જો કે આ મેચ અગાઉ ટીમ ઈન્ડિયાને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને પ્રથમ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણે ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે. સામે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી અને રેગ્યુલર કેપ્ટન કેન વિલિયમસન પણ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે.
BCCI દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જારી કરવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું છે કે કાનપુર ટેસ્ટ દરમિયાન ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓ બીજી મેચમાં રમવામાટે ફિટ નથી.