ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમાવવાની છે
ખેલાડીઓ માટે વર્કલોડ મેનેજમેન્ટ કરવું મહત્વપૂર્ણ
રોહિત અને વિરાટને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ટી20 સિરીઝ માટે બ્રેક આપ્યો
IPLમાં ભાગ લેશે સિનિયર ખેલાડીઓ- દ્રવિડ
ટીમ ઈન્ડિયાની ODI સિરીઝ પૂરી થયા પછી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ પણ રમવાની છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને ટી-20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને ટી-20ની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી ભારત સેમિફાઇનલમાંથી બહાર થયું એ સમયથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલની T20ના કરિયર પર સવાલો ઉઠી રહ્યા છે અને ત્યારથી જ T20 વર્લ્ડ કપ પછી ત્રણેય ક્રિકેટના આ ફોર્મેટમાં એક પણ મેચ રમ્યા નથી.
ખેલાડીઓ માટે વર્કલોડ મેનેજમેન્ટ કરવું મહત્વપૂર્ણ
આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને રોહિત શર્મા T20 ટીમમાં ભાગ નથી લઈ રહ્યા એ વિશે નિવેદન આપ્યું હતું. દ્રવિડે કહ્યું હતું કે કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ છે અને આવી પરિસ્થતિમાં ખેલાડીઓ માટે વર્કલોડ મેનેજમેન્ટ કરવું મહત્વપૂર્ણ છે. આ સાથે જ BCCIની નવી નીતિ અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) આ વર્ષની IPL દરમિયાન ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખશે.
જણાવી દઈએ કે દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ODI પહેલા કહ્યું કે 'વર્કલોડ મેનેજમેન્ટ રમતનો મહત્વપૂર્ણ ભાગ છે અને અમે આ બાબતોની સમીક્ષા કરતા રહીએ છીએ. ખેલાડીઓ રોહિત, વિરાટ અને કેએલ રાહુલને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ટી20 સિરીઝ માટે બ્રેક આપ્યો હતો. જેટલુ ક્રિકેટ રમી રહ્યા છીએ એ મુજબ તેમાં સંતુલન હોવું જોઈએ કે નજીકના ભવિષ્યમાં વર્કલોડને લઈને બધા ખેલાડીને પ્રાથમિકતા આપશુ.
IPLમાં ભાગ લેશે સિનિયર ખેલાડીઓ- દ્રવિડ
આ વિશે રાહુલ દ્રવિડે આગળ કહ્યું હતું કે, 'ODI વર્લ્ડ કપની યોજનામાં સામેલ ખેલાડીઓ IPLમાં રમશે કારણ કે આઈપીએલ તેમની T20 કુશળતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, જો કે NCA અને અમારી મેડિકલ ટીમ IPLના મામલામાં ફ્રેન્ચાઈઝી સાથે સતત સંપર્કમાં રહેશે અને જો કોઈ સમસ્યા કે ઈજા થઈ કે નહીં તેની પણ જાંચ કરશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય કે કોઈ સમસ્યા થાય તો મને લાગે છે કે BCCI પાસે તેને હટાવવાનો અધિકાર છે પણ જો તે ફિટ હશે તો અમે તેને આઈપીએલ માટે રિલીઝ રાખીશું કારણ કે તે પણ એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.' આ સાથે જ રાહુલ દ્રવિડનું માનવું છે કે આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર મેચોની મહત્વની ટેસ્ટ સીરિઝ પહેલા બે અઠવાડિયાના કેમ્પ પહેલા આ આરામ જરૂરી છે.
દ્રવિડે સ્પ્લીટ કેપ્ટનશીપની વાતને નકારી
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એ વાતને નકારી કાઢી છે કે તેમની ટીમ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની નીતિ અપનાવી રહી છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ T20 ટીમની કેપ્ટનશિપ સંભાળશે અને તે 2024માં T20 વર્લ્ડ કપમાં ભારતની કપ્તાનીનો પ્રબળ દાવેદાર છે.