કૃણાલ પંડ્યાની શાનદાર બોલિંગ અને રોહિત શર્માની સારી અર્ધશતકના કારણે ભારતે બીજી T20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવી દીધું. મહેમાન ટીમે આ સાથે જ 3 મેચોની સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી. સીરિઝની ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચ રવિવારે હેમિલ્ટનમાં રમવામાં આવશે. ન્યૂીલેન્ડે પહેલી બેટિંગ કરતાં 8 વિકેટ પર 158 રન બનાવ્યા. ત્યારબાદ ભારતે 18.5 ઓવરમાં 3 વિકેટ પર 162 રન બનાવીને મેચ જીતી લીધી.
ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ચીમને રોહિત અને ધવને શાનદાર શરૂઆત આપી. બંનેએ પહેલી વિકેટ માટે 79 રન કર્યા. રોહિત શર્મા આ વચ્ચે ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો. એને 10માં ઓવરના બીજા બોલ પર ઇશ સોઢીએ સાઉદીના હાથે કેચ કરાવ્યો. રોહિતે 29 બોલની પોતાની ઇનિંન્ગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા. ધવન બીજા વિકેટ રૂપમાં ટીમના 88ના સ્કોર પર આઉટ થયો.
ટોસ જીતીને પહેલી બેટિંગ કરનારા ઊતરેલી ન્યૂઝીલેન્ડ ટીમને પહેલો ઝટકો 15માં સ્કોર પર લાગ્યો અને ગત મેચના હીરો ટિમ સેફર્ટને ભુવનેશ્વરે શિકાર બનાવ્યો. ત્યાર બાદ કૃણાલ પંડ્યાએ કમાલ દેખાડ્યો. અને કોલિન મુનરો (12) ડેરિલ મિશેલ (1) તથા કેપ્ટન કેન વિલિયમસન (20) ને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. મિશેલના આઉટ થવા પર વિવાદ જોવા મળ્યો.
ત્યારબાદ કોલિન ડિ ગ્રૈંડહોમે રોસ ટેલરની સાથે પાંચ વિકેટ માટે 77 રનની પાર્ટનરશિપ કરી. ગ્રૈંડહોમને હાર્દિક પંડ્યાએ રોહિતાના હાથે કેચ કરાવ્યો.