ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડેના ટૉસ દરમ્યાન રોહિત શર્મા 20 સેકન્ડ સુધી નિર્ણય નહોતા લઈ શક્યા. આવુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વખત થયુ છે.
પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવુ થયુ
ટૉસ જીતીને વિચારમાં પડી ગયા હતા રોહિત શર્મા
20 સેકન્ડ બાદ જણાાવ્યો પોતાનો નિર્ણય
રોહિત શર્મા 20 સેકન્ડ સુધી વિચારતા રહ્યાં કે નિર્ણય શું લેવાનો છે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી મેચ રાયપુરમાં રમાઈ રહી છે. આ મેચ માટે ટૉસ થઇ ગયો છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ટૉસ દરમ્યાન એક રમૂજી ઘટના બની. જેણે બધાનુ ધ્યાન ખેંચ્યુ. ખરેખર ટૉસ થયા બાદ રોહિત શર્મા 20 સેકન્ડ સુધી વિચારતા રહ્યાં કે તેમણે નિર્ણય શું લેવાનો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આમ પહેલી વખત થયુ છે કે જ્યારે કોઈ કેપ્ટને પોતાનો નિર્ણય જણાવવામાં 20 સેકન્ડનો સમય લીધો હોય. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ટૉસનો સિક્કો જેવો જમીન પર પડે છે કેપ્ટન તરત પોતાનો નિર્ણય જણાવે છે. પરંતુ બીજી મેચના ટૉસ બાદ રોહિત શર્મા વિચારમાં પડી ગયા હતા.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
ખરેખર કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ પહેલા આ નિર્ણય કરે છે કે ટૉસ જીત્યા બાદ શું નિર્ણય લેવો છે? કારણકે તેઓ પહેલા જ પિચ જોઈને પરિસ્થિતિઓનુ અનુમાન લગાવી લે છે. રાયપુરમાં યોજાનારી મેચ પહેલા કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે વાત કરી હશે કે ટૉસ જીત્યા બાદ શું નિર્ણય લેવાનો છે? પરંતુ રોહિત શર્મા જ્યારે ટૉસ માટે ગ્રાઉન્ડ પર આવ્યા તો સિક્કો ઉછાળ્યાં બાદ નિર્ણય લેવાનુ ભૂલી ગયા. આ દરમ્યાન ટૉસ કરાવવા આવેલા મેચ રેફરી જવાગલ શ્રીનાથ, ટૉસ પ્રેજન્ટેશન કરી રહેલા રવિ શાસ્ત્રી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટૉમ લાથમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નિર્ણયની રાહ જોતા રહી ગયા. રોહિતે પોતાની યાદશક્તિ પર ભાર આપ્યો. આશરે 20 સેકન્ડ બાદ તેઓ પોતાનો નિર્ણય જણાવી શક્યા. આ દરમ્યાન ઉપસ્થિત રહેલા લોકો હસવા લાગ્યા.