ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં આ બધા ખેલાડી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી સલાહની અવગણના કરી રહ્યાં છે.
ભારતીય ખેલાડીઓએ બીસીસીઆઈની સલાહની કરી અવગણના
બીસીસીઆઈએ ખેલાડીઓને ઈન્ડોરમાં રહેવાની આપી સલાહ
ખેલાડીઓએ રેસ્ટોરન્ટના સ્ટાફની સાથે ફોટો પણ પડાવ્યાં
આ ખેલાડીઓએ રેસ્ટોરન્ટના સ્ટાફની સાથે ફોટો પડાવ્યાં
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી બર્મિઘમમાં ટેસ્ટ મેચ રમવામાં આવશે. આ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત થયા બાદ આઇસોલેશમાં છે. એવામાં બીસીસીઆઈએ ખેલાડીઓને ઈન્ડોરમાં રહેવાની સલાહ આપી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો. બીસીસીઆઈએ હાલમાં એવા ખેલાડીઓને ફટકાર લગાવી છે, જે ઈંગ્લેન્ડમાં બહાર ફરતા જોવા મળ્યા હતા. પરંતુ ભારતીય ટીમના ખેલાડીઓને આ વાતની કોઈ અસર થતી નથી. હવે ટીમના ખેલાડીઓની બર્મિઘમના એક રેસ્ટોરન્ટમાં ડિનર પાર્ટીની તસ્વીરો વાયરલ થઇ છે, એટલું જ નહીં, આ ખેલાડીઓએ રેસ્ટોરન્ટના સ્ટાફની સાથે ફોટો પણ પડાવ્યાં છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, નવદીપ સૈની અને રિષભ પંત સહિત અનેક ખેલાડી જોવા મળી રહ્યાં છે.
Virat Kohli, Rishabh, Shreyas, Gill, Shardul, Siraj, Saini and Kamlesh Nagarkoti visit to the restaurant in Birmingham. pic.twitter.com/l6fEBDe5UN
રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવ્યાં બાદ BCCIએ બધા ખેલાડીઓને મેડિકલ પ્રોટોકૉલ પાલન કરવાની સલાહ આપી હતી. બીસીસીઆઈના એક સૂત્રએ એએનઆઈને જણાવ્યું હતુ, બીસીસીઆઈએ કેટલાંક ખેલાડીઓને બહાર ફરવાની આદતના કારણે ઠપકો આપ્યો છે. છેલ્લાં થોડા દિવસમાં એવી અનેક તસ્વીરો સામે આવી છે, જેમાં અમુક ખેલાડી પ્રશંસકોની સાથે ફોટા પડાવી રહ્યાં હતા. આ જોખમકારક હોઇ શકે છે. અમે તેમને અંદર રહેવાની સલાહ આપી છે.