ટીમ ઇન્ડિયાના ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ 20 દિવસના બ્રેક પર છે. ઇંગ્લેન્ડના 3 ખેલાડી પોઝીટીવ આવ્યા બાદ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના બહાર નીકળવા પર રોક લાગી શકે છે.
ભારતીય ખેલાડીઓની વધી શકે મુશ્કેલીઓ
BCCI તરફથી નથી આવ્યું કોઇ નિવેદન
ઇંગ્લેન્ડના ખેલાડીઓ થયા સંક્રમિત
BCCI તરફથી કોઇ નિવેદન આવ્યું નથી પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ પહેલા ટીમ 19 જુલાઇથી પ્રેક્ટિસ મૅચ રમશે.
બ્રિટનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એક જ દિવસમાં 27000થી વધુ કેસ આવ્યા છે. BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી છે પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી. ઇંગ્લેન્ડ ટીમના 3 ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફ પોઝીટીવ આવ્યા છે. એવામાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી સિરીઝની ટીમ બદલાઇ જશે. 8 જુલાઇથી વન ડે સિરીઝ બે દેશ વચ્ચે રમાશે.