શું ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે? આ સવાલ માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રદ્દ થયા બાદ ઉભો થઈ રહ્યો છે. કોરોનાના ડરને કારણે ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચને રદ્દ કરી દેવામાં આવી છે. આ મેચ ક્યારે રમાશે તેનો નિર્ણય આગામી થોડા દિવસમાં આવી જશે.
કોરોનાના ડરને કારણે ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચને રદ્દ કરાઈ
શું ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી?
જો રૂટની આગેવાની વાળી ટીમ ભારતનો મજબુત રીતે કરશે સામનો
આ ત્રણ છે ઈંગ્લેડના દિગ્ગજ ખેલાડીઓ
મેચની આગામી તારીખ અંગે જ્યાં સુધી જાહેરાત કરવામાં ના આવે ત્યાં સુધી અટકળો લગાવવામાં આવશે. કહેવાઈ રહ્યું છે કે ભારતીય ટીમ જુલાઈમાં વન-ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે ત્યારે આ ટેસ્ટ મેચ પણ રમાશે તેવી શક્યતા છે. જો આ મેચ ત્યારે અથવા તેની પહેલા રમાય તો ઈંગ્લેન્ડ ટીમ માટે ઘણા ફેરફાર થશે. જો રૂટની આગેવાનીવાળી આ ટીમ મજબુતાઈપૂર્વક ભારતનો સામનો કરી શકે છે. ટીમના મુખ્ય ત્રણ ખેલાડી શ્રેણીના છેલ્લાં મુકાબલામાં રમતા દેખાશે. બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડ આ ત્રણેય ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીઓ છે.
ઈંગ્લેન્ડને થશે ફાયદો
બ્રેન સ્ટોક્સ અને આર્ચર ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી. તો બ્રોડ ફક્ત પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા હતા. ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં બ્રોડનું કોઈ ખાસ પ્રદર્શન રહ્યું નહોતુ. પરંતુ ફક્ત એક વિકેટ લીધી હતી. જ્યારે લોર્ડસ ટેસ્ટ પહેલાં તેઓ પ્રેક્ટિસ સેશન દરમ્યાન ઈજાગ્રસ્ત થયા હતા. બ્રોડને પગમાં વાગ્યુ હતુ. તો આર્ચર કોણીમાં ફેક્ચર થવાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેઓ ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. આર્ચરને આશા છે કે આવતા વર્ષે યોજાનારા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ વખતે ટીમમાં ભાગ લેશે. જો બ્રેન સ્ટોક્સની વાત કરીએ તો તેઓ પોતાના માનસિક સ્વાસ્થ્યના કારણો તથા આંગળીમાં ઈજા થવાના કારણે ક્રિકેટમાંથી અનિશ્ચિતકાળ માટે રજા લઈ રહ્યાં છે. તેઓ ટી-20 વર્લ્ડ કપમાં પણ જોવા મળશે નહીં.