ECBએ ગુરુવારે ઇંગ્લેન્ડના ભારતના પ્રવાસનું શિડ્યુલ જાહેર કર્યું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના મુકાબલાઓમાં 4 ટેસ્ટ, 5 T20 અને 3 વનડે હશે.
આ 4 ટેસ્ટ મેચની સિરીઝનું નામ એન્થની ડી મેલો ટ્રોફી છે. ચારમાંથી બે ટેસ્ટ મોટેરામાં રમાશે જ્યાં હાલ જ સરદાર પટેલ સ્ટેડિયમ બન્યું છે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં એકસાથે 1 લાખ 10 હજાર દર્શકો બેસી શકે છે. અહીં એક ડે નાઈટ અને એક રેગ્યુલર મેચ રમાશે.
NEWS 🚨 : BCCI, ECB announce itinerary for England’s tour of India 2020-21.
કોરોનાને ધ્યાનમાં રાખીને સ્ટ્રિક્ટ પ્રોટોકોલ સાથે મેચો રમાશે
આ પછી ટુર્નામેન્ટની પાંચે પાંચ T20 મેચ મોટેરા ખાતે રમાશે. ત્યાર બાદ 3 વન ડેની શ્રેણી પુણેમાં રમાશે. આ મુદ્દે BCCIના સચિવ જય શાહ અને ECBના મુખ્ય અધિકારી ટોમ હેરિસને કહ્યું હતું કે BCCIએ કોરોનાને ધ્યાનમાં રાખીને સ્ટ્રિક્ટ પ્રોટોકોલ સાથે ચેન્નાઇ, અમદાવાદ અને પુણે એમ ત્રણ જ સ્થળો એ મેચો યોજી છે. આ સ્થળોએ બાયો બબલ બનાવવામાં આવશે.