ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ગુરૂવારે લંડનના ધ ઓવલમાં રમાશે. પાંચ મેચોની શ્રેણીમાં બંને ટીમે 1-1 મેચ જીતી છે. ભારતીય ટીમ લીડ્સ મેચ હાર્યા બાદ ધ ઓવલમાં ધમાકેદાર પર્ફોમન્સ સાથે ઉતરશે. ભારતીય ટીમ શ્રેણીમાં ફરી એક વખત મેચ જીતવાની આશા ઉતરશે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનમાં રમાશે
ભારતીય ટીમ આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં
ચોથી ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓને આપવામાં આવશે તક
ભારતીય ટીમમાં થશે ત્રણ ફેરફાર
ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર જોવા મળી શકે છે. આઉટ ફોર્મમાં ચાલી રહેલા વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પણ ટીમમાંથી આઉટ થઈ શકે છે. તો રહાણેની જગ્યાએ હનુમા વિહારીને ટીમમાં સામેલ કરાઈ શકે છે. આ સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિનની ટીમમાં વાપસી થઈ શકે છે. તો ફાસ્ટ બોલર ઈશાન્ત શર્માની જગ્યાએ શાર્દૂલ ઠાકુર અંતિમ ઈલેવનમાં સ્થાન બનાવી શકે છે.
અશ્વિન ભારતીય ટીમના નંબર વન બોલર
અશ્વિન ભારતીય ટીમના નંબર વન બોલર છે અને ટેસ્ટ શ્રેણીની ત્રણ મેચોમાં તેમને રમવાની તક મળી નથી. કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ તરફથી ચાર ફાસ્ટ બોલર અને રવિન્દ્ર જાડેજાના કોમ્બિનેશનને તક આપવામાં આવી. જેમાં જાડેજાની બેટિંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું.
ઈશાન્ત શર્માના સ્થાને શાર્દૂલને મળી શકે છે તક
અનુભવી ફાસ્ટ બોલર ઈશાન્ત શર્માએ લીડ્સ ટેસ્ટ મેચમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યુ નથી. તેમની બોલિંગની ઝડપ પણ 120Kmph થી 130Kmphની વચ્ચે રહી હતી. તેમણે 22 ઓવર ફેંકી હતી અને એક વિકેટ પણ લીધી ન હતી. ઈશાન્તની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. શાર્દૂલ લોઅર સ્થાને આવીને ધુઆદાર બેટિંગ કરીને પોતાનું યોગદાન આપે છે. શાર્દૂલે શ્રેણીની પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કર્યુ હતું.