ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે સિરીઝની બીજી મેચ જોવા માટે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ પહોંચ્યા હતા. ત્યારે ભારતની હાર જોતા ધોનીને લોકોએ યાદ કર્યો.
ભારતીય ટીમની ઈંગ્લેન્ડના હાથે કારમી હાર
બીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો 100 રને પરાજય
લોકોએ ધોનીને યાદ કરીને કહ્યું મેદાનમાં તમારી જરૂરત છે
ભારતની બીજી મેચમાં કારમી હાર
ભારતીય ટીમને લોર્ડ્ઝ વન ડેમાં ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડયો. પ્રથમ વનડેમાં ભારતીય ટીમે 10 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ બીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો 100 રને પરાજય થયો હતો. બીજી વન-ડેમાં કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન શિખર ધવન અને સદાબહાર બેટ્સમેન વિરાટ કોહલી સદંતર નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમને નિર્ધારિત 50 ઓવરમાં 247 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ રીસ ટોપલી અને ડેવિડ વિલીની ઘાતક બોલિંગ પહેલા ભારતની 6 વિકેટ માત્ર 102 રનમાં જ પડી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ પૂર્વ ભારતીય ક્રિકેટરો પણ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ભારતની ટીમ જ્યારે સંકટમાં હતી ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર સ્ક્રીન પર દેખાઈ અને ધોનીની આ તસવીર થોડી જ સેકન્ડમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ભારતની બેસ્ટ ફિનિશર રહેલી માહીને ચાહકોની ખોટ સાલવા માંડી હતી.
ધોનીને કર્યો લોકોએ યાદ
મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષોથી ભારતીય ટીમમાં 'ટ્રબલમેકર'ની ભૂમિકા નિભાવી છે. તે ભારતના શ્રેષ્ઠ ફિનિશર્સમાંનો એક રહ્યો છે. ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાં જોઇને 'માહી ભાઇ'ના ફેન્સ તેને પેડ પહેરીને મેદાનમાં ઉતરવાની સલાહ આપવા લાગ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 350 વન-ડેમાં ભાગ લીધો છે. તેના નામે 84 વખત નોટઆઉટ છે અને તેણે 10773 રન નોંધાવ્યા છે.
Ye mazak nahi raha ab, dhoni bhai jaldi pad up karke khelne aao 😭😭#INDvsENG
ધોનીના રેકોર્ડ
લક્ષ્યનો પીછો કરતી વખતે ધોનીનો રેકોર્ડ વધુ સારો થઈ જાય છે. તેણે 194 વન ડેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી છે. 2004થી 2019 સુધી પોતાના વન-ડે ક્રિકેટ દરમિયાન ધોનીએ 50 વખત નોટઆઉટ રહીને 51ની એવરેજથી 4849 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 183 રન છે. જે તેણે 2005માં શ્રીલંકા સામે 299 રનના ટાર્ગેટનો પીછો કરતા બનાવ્યો હતો.