ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચોની વનડે સીરીઝ 4 ડિસેમ્બરનાં રમવામાં આવશે. ત્રીજી મેચ ઢાકામાં યોજાવાની હતી પરંતુ હવે ચટગાંવમાં રમવામાં આવશે. ધમકી મળ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત અને બાંગ્લાદેશની છેલ્લી ટેસ્ટ મેચનું સ્થળ બદલાયું
ધમકી બાદ ઢાકાની જગ્યાએ મેચ ચટગાંવમાં
10 ડિસેમ્બરની મેચનું રિલોકેશન
ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડની યાત્રા પર છે કે જ્યાં વનડે સીરીઝ ચાલી રહી છે. આ યાત્રા બાદ આવતાં મહિને ભારતીય ટીમને બાંગ્લાદેશની સામે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે થનારી ત્રીજી વનડે સીરીઝની મેચમાં મોટો ફેરફાર થયો છે. ત્રીજા વનડેનો વેન્યૂ એટલે કે સ્થળ બદલી દેવામાં આવ્યું છે. પહેલા આ મેચ ઢાકામાં થવાની હતી પરંતુ હવે ચટગાંવમાં આ મેચ થવાની છે.
નેશનલિસ્ટ પાર્ટીએ કર્યો વિરોધ
10 ડિસેમ્બરનાં રોજ થનારી ત્રીજી વનડે સીરીઝ ઢાકામાં થવાની હતી. પરંતુ બાંગ્લાદેશની નેશનાલિસ્ટ પાર્ટીએ એ જ દિવલે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું અને એ જ દિવસે રેલીનું પણ આયોજન થયું હતું. વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા માટે મેચનું સ્થળ બદલેલ છે.
છેલ્લી મેચ ચટગાંવમાં
પહેલા ત્રણેય વનડે મેચ ઢાકામાં થવાની હતી પરંતુ હવે છેલ્લી એક મેચ ચટગાંવમાં યોજાશે. આ સિવાય આ મેદાન પર એક ટેસ્ટ મેચનું પણ આયોજન કરવામાં આવેલ છે. સીરીઝની બીજી ટેસ્ટ મેચ ઢાકામાં આયોજિત થશે. ટેસ્ટ સીરીઝ 14 ડિસેમ્બરનાં શરૂ થવાની છે.