ટીમ ઇન્ડિયાએ એડિલેડ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને 3 મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ટીમ ઇન્ડિયાની સામે જીતવા માટે 299નો ટાર્ગેટ હતો જેને છેલ્લી ઓવરમાં હાંસલ કરી દીધો. ટીમ ઇન્ડિયાની તરફથી કેપ્ટન કોહલીએ સૌથી વધુ 104 રન કર્યા. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ નોટઆઉટ 55 રનની ઇનિંગ રમી. મેચ પછી પ્રેઝન્ટેશનમાં કોહલી આ જીત પર ખૂબ જ ખુશ દેખાયો અને ધોનીની પ્રશંસા કરી. તેણે ઇનિંગને 'MS ક્લાસિક' કહી.
ધોનીએ કોહલી સાથે મળીને ટીમ ઇન્ડિયાને મેચમાં બનાવી રાખી અને જ્યારે છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને સાત રનની જરૂર પડી ત્યારે તેણે પહેલી જ બૉલમાં સિક્સર ફટકારીને ટીમ ઇન્ડિયાની જીતને નજીક લાવી દીધી. કોહલીએ કહ્યુ કે ''આજે મહેન્દ્ર સિંહ ધોનીની ક્લાસિક ઇનિંગ જોવા મળી. 50 ઓવરમાં વિકેટકિપિંગ કર્યા પછી આ પ્રકારની ઇનિંગ રમવી સરળ નથી. ધોની મેચને છેલ્લે સુધી લઇ ગયો અને પછી ખત્મ કરી. માત્ર ધોની જ જાણે છે કે તેના દિમાગમાં શું ચાલે છે.''
કોહલીએ કહ્યુ કે ધોનીને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે કે મોટા શોટ્સ રમીને મેચ પૂરી કરી શકે છે. કોહલીએ 14 બૉલમાં 25 રનની ઇનિંગ રમનારા દિનેશ કાર્તિકના વખાણ કર્યા તેણે કહ્યુ કે ''કાર્તિકે ઝડપથી રમી ધોની પરથી દબાણ ઓછુ કર્યુ.''
પોતાના વનડે કરિયરની 39મી સેન્ચુરી કરનારા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટે કહ્યુ કે ''ધોની ખૂબ જ કૂલ રહે છે તે મને મેચ દરમિયાન શાંત રાખવાનો પ્રયાસ કરે છે જેથી હું ખરાબ શૉટ ના રમુ.'' કોહલીએ આલોચકોને જવાબ આપતા કહ્યું કે ''એમાં કોઈ શંકા નથી કે ધોનીને આ ટીમમાં હોવુ જ જોઇએ.''
આ સિવાય કોહલીએ ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારના વખાણ કર્યા જેમણે છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના રન ના બનાવવા દીધા. કોહલીએ કહ્યુ કે ''અમારો પ્રયત્ન છેલ્લે સુધી હતો કે પોતાનો રોકવાનો હતો. મારુ માનવુ છે કે જ્યારે શૉન માર્શ અને ગ્લેન મેક્સવેલ રમી રહ્યા હતા ત્યારે તેઓ મજબૂત હતા. તેમણે 2 બૉલમાં આઉટ કરવાનું શાનદાર રહ્યુ. મારુ માનવુ છે કે જે રીતે તેમણે શરૂઆત કરી તે રીતે 298 રનનો સ્કોર આ વિકેટ પર ઠીક હતો.''
કેપ્ટને કહ્યુ કે ''ભુવનેશ્વરે અમારી મેચમાં વાપસી કરાઇ. પાંચ બૉલર સાથે રમવુ અને કેપ્ટન તરીકે સંતુષ્ટ પરત ફરવું તે અમારા માટે સારી વાત છે.''