નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય બ્રિગેડ ત્રીજી ટેસ્ટ માટે તૈયાર છે. મેચ આવતી કાલે ભારતીય સમય અનુસાર સવારના ૫.૦૦ વાગ્યાથી શરૂ થશે. આ મેદાન પર ૧૯૪૭-૨૦૧૯ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ૧૨ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો છે. આ દરમિયાન ભારતને માત્ર એક ટેસ્ટ જીતવામાં સફળતા મળી છે અને પાંચ ટેસ્ટમાં હારનો સામનો કર્યો છે, જ્યારે ટેસ્ટ ડ્રો રહી છે.
સ્પષ્ટ છે કે સિડનીમાં ભારતનો રેકોર્ડ સારો નથી. આ મેદાન પર ભારતીય ટીમને એકમાત્ર જીત ૧૯૭૮માં મળી હતી. એ સમયે બિશનસિંહ બેદીની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને બે રને માત આપી હતી. સિડનીમાં ૪૩ વર્ષ પહેલાં મળેલી એ જીતની ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ટીમની અત્યાર સુધીની એ સૌથી મોટી જીત (ઇનિંગ્સના િહસાબે) છે. હવે જોવાનું એ રહે છે શું અજિંક્ય બ્રિગેડ સિડનીમાં ૪૩ વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે ખરી?
સિડની બાદ તા. ૧૫ જાન્યુઆરીથી શ્રેણીની અંતિમ ટેસ્ટ શરૂ થશે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી તો બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં જીતની હેટ્રિક લગાવવામાં તે સફળ રહેશે. ભારતે છેલ્લી બંને બોર્ડર-ગાવસ્કર શ્રેણી પર કબજો જમાવ્યો હતો. ૨૦૧૮-૧૯માં છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે ૨-૧થી અને એ પહેલાં ૨૦૧૬-૧૭માં ટીમ ઇન્ડિયાએ ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયાને ૨-૧થી માત આપી હતી.
7 જાન્યુઆરીથી સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મૅચ માટે BCCIએ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દીધુ છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા બે બદલાવ સાથે મેદાન પર ઉતરશે. સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ છે ત્યારે નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો મળશે. બે ટેસ્ટમાં નિષ્ફળ રહેનાર ઓપનર મયંક અગ્રવાલને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
રોહિત શર્માની વાપસીનો ક્યાસ પહેલાથી જ લગાવવામાં આવી રહ્યો છે. જો કે તે સાફ નથી કે રોહિત શર્મા મયંક અગ્રવાલની જગ્યા લેશે કે પછી હનુમા વિહારીની પરંતુ ટીમ ઇન્ડિયાએ વિહારીને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમ મજબૂરીમાં આ બદલાવ કરવા જઇ રહ્યું છે. નવદીપ સૈનીને ટીમ ઇન્ડિયાને ડેબ્યુ કરવાની તક આપી છે. નવદીપ સૈની ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝનો સાથ આપશે.
સ્પિન બૉલરની જવાબદારી આ સિરીઝમાં શાનદાર ફોર્મ તાવનાર અશ્વિનના માથે રહેશે. રવિન્દ્ર જાડેજાએ પહેલી ટેસ્ટમાં 57 રન બનાવ્યા હતા અને ઓલરાઉન્ડર ટીમમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યુને લઇને ઘણી ચર્ચા હતા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે સૈનીની જગ્યાએ નટરાજનનું ડેબ્યુ થશે. આવુ થયુ નહી અને નટરાજનને હાલ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે રાહ જોવી પડશે.