ઓસ્ટ્રેલિયા સામેની આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત આ મેચ જીતી ગયું પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એક વાતથી ચોંકી ગયો હતો.
પ્રથમ મેચમાં હિટમેને 120 રનની ઈનિંગ રમી
ઓસ્ટ્રેલિયાની ટીમને ઈનિંગ અને 132 રનથી હરાવ્યું
ઈન્ડિયાએ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી
રોહિત શર્મા હેરાન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી. આ મેચને ટીમ ઈન્ડિયાએ ત્રણ દિવસમાં પૂરી કરી અને ઓસ્ટ્રેલિયાની ટીમને ઈનિંગ અને 132 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયા સામેની આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત આ મેચ જીતી ગયું પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એક વાતથી ચોંકી ગયો હતો.
આ વાતથી હેરાન છે રોહિત
રોહિત શર્માએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેને વિશ્વાસ નહોતો કે આ મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ જશે. રોહિતને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “ના, મને એવી અપેક્ષા નહોતી. અમે બોલિંગમાં મુશ્કેલ દિવસ માટે તૈયાર હતા. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ એક સેશનમાં આઉટ થઈ જશે. રોહિત શર્માએ કહ્યું, તમે જોયું કે પિચ ધીમી અને ધીમી થતી ગઈ અને પીચ પર કોઈ બાઉન્સ નહોતો તેથી મને ખૂબ જ આશ્ચર્ય થયું.
પિચને લઈને શું બોલ્યો રોહિત
ઓસ્ટ્રેલિયન મીડિયામાં થોડા દિવસો પહેલા નાગપુરની પીચને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી રહી હતી. આ પીચને સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવી રહી હતી. જ્યારે રોહિતને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને ટીમ ઈન્ડિયા માનસિક રીતે ઓસ્ટ્રેલિયા કરતા વધુ મજબૂત લાગી તો રોહિતે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. રોહિતે કહ્યું, હું ઓસ્ટ્રેલિયન ટીમના માનસિક સ્તર વિશે નથી જાણતો. હું મારી ટીમ વિશે જણાવી શકું છું અને અમે આ પ્રકારની પીચો પર રમવા માંગીએ છીએ અને આ અત્યારથી જ નથી, અમે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ પ્રકારની પીચો પર રમી રહ્યા છીએ. અમે આ પ્રકારની પીચો પર રમીને મોટા થયા છીએ તેથી હવે ડ્રેસિંગ રૂમમાં પીચ વિશે કોઈ વાત નથી થતી.
ટ્રેનિંગ સેશનથી થયો ફાયદો
ભારતીય કેપ્ટને આગળ કહ્યું ક્રિકેટ મેચ હોય કે જીવનનો અન્ય કોઈ પહેલુ, તમામમાં સફળતા મેળવવા માટે તૈયારીઓ ખૂબ જ જરુરી છે. હું મોટાભાગનો શ્રેય અહીં આવતા પહેલા ટ્રેનિંગ સેશનને આપીશ. અમે ચાર કે પાંચ નેટ સેશન કર્યા અને અમે જે પ્રકારની પિચ મેળવવા માગતા હતા તે જ પ્રકારની પીચ તૈયાર કરી. પીચ પર સ્વીપ, રિવર્સ સ્વીપ, અપર હિટ કરવું બધા માટે તમે સારી રીતે તૈયાર હોવ ત્યારે તમારામાં આત્મવિશ્વાસ હોય છે અને આ માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ હોય છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ મેચમાં હિટમેને 120 રનની ઈનિંગ રમી. રોહિતની આ ઇનિંગ્સના સહારે ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 400 રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત શાનદાર લયમાં જોવા મળ્યો હતો.