ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો. ભારતીય બોલરોને પોતાના રેકોર્ડ્સ અંગે એટલી ખબર હોય છે કે તેઓ વારંવાર તેમની સાથે બોલિંગ નખાવવા માટે દબાણ બનાવે છે.
જો કોઈ ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા ઘાતક સ્પિનર હોય અને ભારતમાં ટેસ્ટ મેચ થઇ રહી છે તો આ ટીમના કેપ્ટન માટે ટીમને જીત સુધી પહોંચાડવી વધુ મુશ્કેલ હોતી નથી. ભારતીય ક્રિકેટ ટીમના આ ધુરંધર સ્પિનરોને કારણે ભારતીય કેપ્ટનોને વિરોધી ટીમની 20 વિકેટ ઉડાડવા માટે વધુ પરેશાન થવુ પડતુ નથી. નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં આવુ જોવા મળ્યું. જ્યાં ત્રણેય સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાને અઢી દિવસમાં ઓલઆઉટ કર્યુ. તેમ છતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાાના આ ત્રણેય સ્પિનરોથી પરેશાન રહે છે.
આ બે સ્પિનરોના કારણે ભારતીય ટીમ સરળતાથી જીતી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ બિલ્કુલ આ સ્ક્રીપ્ટ હેઠળ પૂરી થઇ, જે પહેલા પણ ઘણી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી અને તેની આશા હતી. ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની સદી અને રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને નિચલા ક્રમમાં શાનદાર ઈનિંગના કારણે ઓસ્ટ્રેલિયાને પહેલી મેચથી બહાર કરી દીધુ હતુ. પછી જાડેજા અને રવિચંદ્રન અશ્વિને બંને ઈનિંગમાં પોતાની સ્પિનથી ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 177 બાદ બીજી ઈનિંગમાં 91 રન પર ઓલઆઉટ કરીને ટીમને સરળતાથી જીત અપાવી.
સ્પિનરોને સંભાળવા સૌથી મુશ્કેલ
મેચ બાદ રોહિતે કહ્યું કે ભારતીય સ્પિનરોને સંભાળવુ કેટલુ મુશ્કેલ હોય છે. રોહિતે કહ્યું, એક તરફથી વધુ મદદ હતી અને ત્રણેય સ્પિનરો એકબાજુ પહોંચી ગયા. આ વસ્તુ સંભાળવી મારા માટે વધુ મુશ્કેલ છે, ડ્રેસિંગ રૂમમાં સંભાળવુ કે બાકી ખેલાડીઓને સંભાળવા કે પછી કેપ્ટનશિપ કરવી.
સિદ્ધીઓના કારણે ફસાય છે રોહિત
રોહિતે વધુમાં જણાવ્યું કે આ દિગ્ગજ સ્પિનર તેના પર દબાણ બનાવતા હોય છે કે બોલ તેમને આપવામાં આવે કારણકે તેઓ કોઈના કોઈ સિદ્ધીની નજીક હોય છે. રોહિતે રમૂજી અંદાજમાં કહ્યું, જાડેજા કહી રહ્યાં છે કે હું 249 વિકેટ પર છુ. મારે 250 કરવાના છે. રવિચંદ્રન અશ્વિન 450 કરીને બેઠા છે અને અત્યારે 4 વિકેટ ગઇ છે. તેઓ કહે છે કે મારે 5 વિકેટ પૂરી કરવાની હોય છે. જેમાં હું ભારતમાં ઘણી વખત ફસાયો છુ અને આ વાતનો ઘણી વખત અનુભવ થયો છે.