નાગપુર ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાની મજાક ઉડાવનારા ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા સૌથી આગળ રહ્યાં. તેમની સાથે-સાથે અક્ષર પટેલે પણ પિચ મામલે ઓસ્ટ્રેલિયાની એક્શન પર પોતાનુ રિએક્શન આપ્યું.
ઓસ્ટ્રેલિયાની મજાક ઉડાવનારા ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા સૌથી આગળ
અક્ષર પટેલે પણ પિચ મામલે ઓસ્ટ્રેલિયાની એક્શન પર રિએક્શન આપ્યું
નાગપુર ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ કુલ 7 વિકેટ લીધી હતી
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની ઉડાવી મજાક
જે પિચ પર ઓસ્ટ્રેલિયન બેટર એક પછી એક આઉટ થઇ રહ્યાં હતા. તેના પર ભારતીય બેટરોએ રનનો કાફલો ઉભો કરી દીધો. પરંતુ અસલી મજાક તો કાંગારૂની ત્યારે ઉડી જ્યારે ભારતીય ખેલાડીઓએ તેમના પિચવાળા વર્તાવને લઇને મજાક ઉડાવી. નાગપુર ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાની મજાક ઉડાવનારા ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા સૌથી આગળ રહ્યાં. તેમની સાથે-સાથે અક્ષર પટેલે પણ રિએક્શન આપ્યું.
જાડેજાએ કહ્યું, ફ્લાઈટમાં બેસતા જ ડરી ગયુ હશે ઓસ્ટ્રેલિયા
જાડેજાએ મેચ બાદ બ્રોડકાસ્ટ ચેનલ સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયાના માઈન્ડસેટ પર નિવેદન આપ્યું. તેમનુ નિવેદન ખૂબ મસાલાવાળુ અને ચટપટ્ટુ રહ્યું. જાડેજા મુજબ ઓસ્ટ્રેલિયન ટીમની અંદર પિચનો ડર ભારતે પહેલા જ નાખી દીધો હતો. નાગપુર ટેસ્ટમાં કુલ 7 વિકેટ લેનારા જાડેજાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી ફ્લાઈટમાં બેસતા પહેલા ડરી ગયા હશે. પિચને લઇને ડર તેઓ પોતાના ઘરેથી લઇને આવ્યાં હતા, જેનુ પરિણામ તેમને ભોગવવુ પડ્યુ. જાડેજાની વાત પર સવાલ પૂછનારા ભારતના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે સંજોગ જોયો, જેમણે કહ્યું કે પિચમાં ટર્ન તો ત્રીજા દિવસે એટલો વધારે હતો જ નહીં, જેનાથી ઓસ્ટ્રેલિયાને રમવામાં પરેશાની થાય.
અક્ષરે પણ પિચને લઇને ઓસ્ટ્રેલિયા પર સાધ્યુ નિશાન
નાગપુર ટેસ્ટ દરમ્યાન અક્ષર પટેલે પણ નિવેદન આપ્યું. તેમણે પિચના બહાને ઓસ્ટ્રેલિયા પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે અમે બેટીંગ કરીએ છીએ તો પિચ સારી રમત આપે છે અને જ્યારે અમે બોલિંગ કરવા ઉતર્યા તો પિચ દ્વારા મદદ પણ થઇ. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલ નાગપુર ટેસ્ટમાં રોહિત શર્મા બાદ બીજા સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટર રહ્યાં છે. તેમણે 82 રનની ઈનિંગ રમી, જે તેમની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રહી.