રિષભ પંત ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝમાં ગેરહાજર છે આવી સ્થિતિમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે.
રિષભ પંતની જગ્યા પર આ ખેલાડીને મળી શકે છે ચાન્સ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝમાં કેએલ રાહુલ નહીં કરે વિકેટકીપીંગ!
બીસીસીઆઈ કોને આપશે તક?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે અને બંને ટીમો હવે પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં લાગી ગઈ છે એવામાં ભારતીય ટીમનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત આ ટેસ્ટ સીરિઝમાં ગેરહાજર છે. આવી સ્થિતિમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે.
રિષભ પંતની જગ્યા પર આ ખેલાડીને મળી શકે છે ચાન્સ
જણાવી દઈએ કે રિષભ પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા અને એ કારણે તે હાલમાં ટીમ ઈન્ડિયાથી લાંબા સમયથી બહાર છે. તેની જગ્યાએ હવે ટીમ ઈન્ડિયામાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર કેએસ ભરતને જગ્યા મળી શકે છે. જો કેએસ ભરતની વાત કરીએ તો તે એક વર્ષથી વધુ સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે પણ તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.
કેએલ રાહુલ નહીં કરે વિકેટકીપીંગ!
આ સાથે જ અત્યાર સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રિષભની જગ્યા પર ઓપનર કેએલ રાહુલને વિકેટકીપિંગની જવાબદારી આપવામાં આવી શકે છે પણ રાહુલની ફિટનેસને જોતા તેને હાલ આ જવાબદારી આપવી ટીમ માટે મોટો ખતરો બની શકે છે.
બીસીસીઆઈ કોને આપશે તક?
જણાવી દઈએ કે બીસીસીઆઈના એક સૂત્રએ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે કેએલ રાહુલ છેલ્લા એક વર્ષમાં ઘણી વખત ઈજાગ્રસ્ત થયો છે અને આવી સ્થિતિમાં તેને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સ્થાન આપવું એ યોગ્ય નિર્ણય નહીં હોય. આ સાથે જ ટેસ્ટ ફોર્મેટમાં નિષ્ણાત વિકેટ કીપર બેટ્સમેનની જરૂર હોય છે અને હાલ ટીમમાં ભરત અને ઈશાન એ બે જ બે વિકેટકીપર છે. આવી સ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટે નક્કી કરવાનું છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં કોને તક આપે છે.
કેએસ ભરતનો શાનદાર રેકોર્ડ
ઘરેલુ ક્રિકેટમાં અત્યાર સુધીની કેએસ ભરતના કરિયરની વાત કરીએ તો આંધ્ર તરફથી રમતા આ વિકેટકીપર-બેટ્સમેને અત્યાર સુધીમાં 86 મેચોની 135 ઇનિંગ્સમાં 37.95ની સરેરાશથી 4707 રન બનાવ્યા છે. આ સાથે જ આ દરમિયાન તેના બેટથી અત્યાર સુધી 9 સદી અને 27 અડધી સદીની ઇનિંગ્સ પણ જોવા મળી છે. જણાવી દઈએ કે આ બધા સિવાય ભરતે આઈપીએલમાં અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાં તેણે 28.43ની એવરેજથી કુલ 199 રન બનાવ્યા છે.