ભારતીય ટીમના શાનદાર બોલર કેએલ રાહુલ નાગપુરના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી ઉત્તરાખંડમાં દર્શન કરવા પહોંચ્યા હતા.
વિરાટ કોહલી બાદ KL રાહુલ પણ થયો ભક્તિમય
મેચ પહેલા પહોંચ્યો સાઈ બાબા મંદિર
9 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ 9 ફેબ્રુઆરીએ નાગપુરના મેદાનમાં રમાશે. આ સીરિઝના શરૂ થતા પહેલા જ બંન્ને ટીમોના ખેલાડીઓએ ખૂબ મહેનત કરી છે અને પોતાની ટીમને જીત અપાવવામાં કોઈ કમી નથી છોડી.
પરંતુ આ વચ્ચે ભારતીય ટીમના શાનદાર બોલર કેએલ રાહુલ નાગપુરના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી ઉત્તરાખંડમાં એક ધર્મશાળામાં દર્શન કરવા પહોંચ્યા હતા.
KL રાહુલે કર્યા સાઈ બાબાના દર્શન
ચાર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના ઉપકેપ્ટન કેએલ રાહુલે બનાવવામાં આવ્યા છે. ત્યાં જ સીરિઝ શરૂ થવાના માત્ર 2 દિવસ પહેલા રાહુલ નાગપુરમાં સ્થિત સાઈ બાબાના દર્શન માટે પહોંચ્યા અને સીરિઝ શરૂ થતા પહેલા તે પોતાના ખરાબ ફોર્મને પણ પાછળ છોડી શકે છે.
જોકે દર્શન કરવા પહોંચેલા કેએલ રાહુલની સાથે કોઈ અન્ય ખેલાડી હતા કે નહીં તેની જાણકારી મળી નથી અને કેએલ રાહુલનો પણ એક જ ફોટો છે દર્શન કરવાનો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
KL રાહુલનું ઓસ્ટ્રેલિયા ટીમ સામે પ્રદર્શન
ટીમ ઈન્ડિયાના સલામી બેટ્સમેન KL રાહુલએ ઓસ્ટ્રેલિયા ટીમના વિરૂદ્ધ અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે 18 ઈનિંગ્સમાં 580 રન કર્યા છે. આ સમયે તેમણે 1 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી મારી હતી. ત્યાં જ આ વખતે કેએલ રાહુલને પ્લેઈિંગ 11માં મોકો મળે છે કે નહીં હાલ તેના પર પણ કોઈ જવાબ નથી આવ્યો.