ભારતનાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ફિલ્ડીંગ દરમિયાન ખભાનાં ભાગમાં ઈજા પહોંચી હતી. જે બાદ તેમણે મેદાન છોડીને ફીઝીયો પાસે જવું પડ્યું અને તેમના સ્થાન કેદાર જાધવે ફિલ્ડીંગ કરવી પડી. ટીમ ઈન્ડિયા માટે આ ઈજા ખુબ મોટી સમસ્યા બની શકે છે કે કારણ કે રવિવારે બેંગ્લોરમાં ત્રીજી વન ડે રમાવાની છે.
ફિલ્ડીંગ દરમિયાન ઈજા પહોંચતા રોહિતે છોડવું પડ્યું મેદાન
શિખર ધવનને ઈજા થઇ હતી જોકે બાદમાં કહેવામાં આવ્યું કે તે ઠીક છે
રવિવારે બેંગ્લોરમાં થશે ત્રીજી વનડે
વિરાટ કોહલીએ આપ્યા સારા સમાચાર
વિરાટ કોહલીએ આ વિષય પર અપડેટ આપી છે. મેચ બાદ તેમણે કહ્યું કે તેમનું માનવું છે કે આ ઈજા સામાન્ય ઈજા છે અને વિરાટને આશા છે કે રોહિત આગામી મેચમાં ભારત માટે બેટિંગ કરશે. વિરાટ કોહલીએ કહ્યું કે 'મેં રોહિતથી વાત કરી છે. આ એ જ ખભો છે જે ઘણી વખત ઈજાગ્રસ્ત થયેલ છે. રોહિતે કહ્યું છે કે આ ગંભીર ઈજા નથી તે આગામી મેચમાં મેદાનમાં ઉતરશે.'
પેટ કમિન્સની બોલ વાગતા શિખર ધવનને ઈજા પહોંચી
જોકે ટીમનાં ફીઝીયોએ કહ્યું કે રોહિત રમશે કે નહિ તે વિષય પર છેલ્લો નિર્ણય ફીઝીયોથેરાપીસ્ટની દેખરેખ બાદ કરવામાં આવશે. આ મેચમાં રોહિત જ નહિ પરંતુ શિખર ધવનને પણ ઈજા પહોંચી જે બાદ શિખર મેદાનમાં ફિલ્ડીંગ માટે ઉતરી શક્યા નહોતા. પેટ કમિન્સની બોલ વાગતા શિખર ધવનને ઈજા પહોંચી હતી. જે ટીમનાં મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ધવન હવે ઠીક છે.
આ મેચમાં ધવને 96 રન જ્યારે વિરાટ કોહલીએ 78 રન ફટકાર્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને 341 રનનો પડકાર આપ્યો હતો જે બાદ ઓસ્ટ્રેલિયા માત્ર 304 રન જ કરી શક્યું હતું. શમીએ આ મેચમાં 3 વિકેટ લીધી જયારે કુલદીપ અને નવદીપે 2-2 વિકેટ લીધી હતી.