બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:01 AM, 10 December 2024
Gautam Gambhir: ભારતીય ટીમને એડિલેડ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે કોચ ગૌતમ ગંભીર પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. ગંભીરનું હેડ કોચ તરીકેનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને હવે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે પણ મુશ્કેલી વધી ગઈ છે.
ADVERTISEMENT
ગંભીરના કોચિંગને લઈને સવાલો ઉભા થયા
ભારતીય ટીમના પૂર્વ બેટર ગૌતમ ગંભીર ટી-20 વર્લ્ડ કપ 2024 બાદ જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા હતા. ગંભીરે રાહુલની જગ્યા લીધી હતી. જો કે ભારતીય ટીમની એડિલેડ ટેસ્ટમાં ખરાબ રીતે હાર થતા જ હવે તેમના કોચિંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારતની આ હારથી સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે તેમજ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ પહોંચવા માટે પણ મુશ્કેલી વધી ગઈ છે.
ADVERTISEMENT
ત્રીજી ટેસ્ટ બ્રિસબેન રમાશે
ગંભીરના કોચિંગને લગભગ પાંચ મહિના જેટલો સમય થઈ ગયો હશ પરંતુ ટીમને અત્યાર સુધીમાં પાંચવાર ફજેતીનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ફક્ત 19 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો, જે કંગારૂ ટીમે વિના વિકેટે જ હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ શનિવારે (14 ડિસેમ્બર) બ્રિસબેન રમાશે.
ગૌતમ સામે ગંભીર સવાલો ઉભા થયા
ગંભીરે બોર્ડ પાસેથી કોચિંગ સ્ટાફની માંગણી કરી હતી
ગૌતમ ગંભીરે જ્યારે હે઼ડ કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી પોતાના પસંદગીના કોચિંગ સ્ટાફની માંગણી કરી હતી. બીસીસીઆઈએ પણ ગંભીરની માંગ સાંભળીને અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી મોર્ને મોર્કેલની બોલિંગ કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત રહ્યા હતા. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પણ દિલીપ આ જ ભૂમિકામાં હતા.
ત્રણ ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરે તેવી આશા
નોંધનયી છે કે, ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ સિલેક્શનમાં પણ ભાગ લીધો હતો. મુખ્ય કોચ ટીમની પસંદગીમાં ભાગ લઈ શકતા નથી, પરંતુ બીસીસીઆઈએ ગંભીર માટે નિયમમાં પણ ફેરફાર કર્યો હતો. હવે જ્યારે સારા પરિણામો નહીં આવે તો ચોક્કસ પ્રશ્નો ઊભા થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ એડિલેડ ટેસ્ટની હારમાંથી પાઠ શીખશે અને આવનારી ત્રણ ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરશે.
ગંભીરના કોચિંગ હેઠળ ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન
T20 સીરિઝ વિ. શ્રીલંકા: 3-0થી જીત
વનડે સીરિઝ વિ. શ્રીલંકા: 0-2થી હાર
ટેસ્ટ સીરિઝ વિ. બાંગ્લાદેશ: 2-0થી જીત
ટી20 સીરિઝ વિ. બાંગ્લાદેશ: 3-0થી જીત
ટેસ્ટ સીરિઝ વિ. ન્યૂઝીલેન્ડ : 0-3થી હાર
ઓસ્ટ્રેલિયા વિ. ટેસ્ટ સીરિઝ: હાલમાં 1-1થી બરાબર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.