ચોથી ટેસ્ટના ત્રીજા દિવસ બાદ પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી જે બાદ હાલ અય્યર બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે.
બેટિંગ પહેલા ઈજાગ્રસ્ત થયો શ્રેયસ અય્યર
બીસીસીઆઈ એ આપી જાણકારી
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. જણાવી ડી કે આ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 480 રન બનાવ્યા હતા. હાલ ભારતીય ટીમ એ સ્કોરનો પીછો કરી રહી છે એવામાં ટીમ ઈન્ડિયા તરફથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
બેટિંગ પહેલા ઈજાગ્રસ્ત થયો શ્રેયસ અય્યર
આ સમાચાર શ્રેયસ અય્યરને લગતા છે જે ફરી ઈજાગ્રસ્ત થયા છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર કમરના દુખાવાના કારણે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ન હતો. સાથે જ જણાવ મળ્યું છે કે અય્યરની જૂની ઈજા સામે આવી છે જે બાદ તેમનું સ્કેન પણ કરવામાં આવ્યું હતું. ચોથી ટેસ્ટના ત્રીજા દિવસ બાદ પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી જે બાદ હાલ અય્યર બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. જણાવી દઈએ કે અય્યર દિલ્હી ટેસ્ટમાં ઈજામાંથી પરત ફર્યો હતો, ત્યારપછી તેને ફરી એકવાર દુખાવો થવા લાગ્યો હતો.
Shreyas Iyer complained of pain in his lower back following the third day's play (against Australia). He has gone for scans and the BCCI medical team is monitoring him: Board of Control for Cricket in India (BCCI)
બીસીસીઆઈ એ આપી જાણકારી
નોંધનીય છે કે શ્રેયસ અય્યરની ઈજા વિશે બીસીસીઆઈ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે તેને પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમ અય્યરની ઈજા પર સતત નજર રાખી રહી છે.
ભારતીય ટીમ માટે શ્રેયસ ઐયરની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. અય્યરને ઈજા થઈ તે પહેલાં, રવિન્દ્ર જાડેજાને બેટિંગ માટે ઉતારવામાં આવ્યો હતો અને જાડેજા પછી કેએસ ભરત બેટિંગ કરવા મેદાનમાં છે. બીજી તરફ જો શ્રેયસ તેની પીઠના દુખાવામાંથી જલ્દી સાજો નહીં થાય તો ટીમને મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.