ભારતીય ટીમ જીતની દ્રષ્ટિએ પોતાની પ્લેઈંગ-XI ઘણી મજબૂત રાખશે
જાણો, રોહિત શર્મા કયા ખેલાડીઓને આપશે તક
ભારતીય ટીમ જીતની દ્રષ્ટિએ પોતાની પ્લેઈંગ-XI મજબૂત રાખશે
મહત્વનું છે કે વર્ષ 2004થી કાંગારૂ ટીમ ભારતમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. એવામાં ભારતીય ટીમ જીતની દ્રષ્ટિએ પોતાની પ્લેઈંગ-XI ઘણી મજબૂત રાખશે. એવામાં રોહિત શર્મા કયા ખેલાડીઓને પહેલી ટેસ્ટની પ્લેઈંગ-XIમાં તક આપી શકે છે. આવો જાણીએ.
આ જોડી કરી શકે છે ઈનિંગની શરૂઆત
નાગપુર ખાતે યોજાનાર ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલને ઓપનિંગ કરતા જોઇ શકાય છે. મહત્વનું છે કે ભારતીય ધરતી પર રોહિતનુ બેટ નાગની જેમ ફૂંફાડા મારે છે. એવામાં રોહિત અને રાહુલની જોડીને પહેલી ટેસ્ટમાં ઓપનિંગ ખેલાડી માટે બેસ્ટ મનાઈ રહી છે.
આ રીતે થઇ શકે છે ટીમનો મિડલ ઓર્ડર
નંબર 3 પર ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર ચેતેશ્વર પૂજારાને તક મળી શકે છે. પૂજારા પાસે એક આક્રમક ઈનિંગની ઘણી આશા છે. ચોથા ક્રમે વિરાટ કોહલી ઉતરશે. જેની પાસેથી ક્રિકેટ પ્રેમીઓને 3 વર્ષના દુકાળને સમાપ્ત કરી સદી ફટકારવાની આશા છે. પાંચમા ક્રમે શુભમન ગિલને તક મળી શકે છે, જેણે વન-ડે અને ટી20 બંને ફોર્મેટમાં ઘણી સદી ફટકારી છે.
આ ઑલરાઉન્ડર્સને મળશે તક
પહેલી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનને તક મળી શકે છે, જે બોલ અને બેટીંગ બંને દ્વારા મહત્વનું યોગદાન કરી ભારતીય ટીમ માટે મેચ ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે.