વજન ઘટાડવા માટે સિંધવ મીઠું ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણી લો તો ઘણાં ફાયદાઓ મેળવી શકો છો. સિંધવ મીઠામાં એવા ગુણો રહેલાં છે જે વજન ઓછું કરવાની સાથે બોડીને ડિટોક્સ પણ કરે છે. સિંધવ મીઠું શુદ્ધ હોય છે કારણ કે તેમાં કોઈપણ કેમિકલ અથવા કોઈ અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવતી નથી. આ પત્થરના રૂપમાં પણ મળે છે. આમાં કુદરતી રીતે અનેક ખનિજ તત્વો રહેલાં હોય છે. સિંધવ મીઠામાં સોડિયમ સહિત ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ કોપર સેલેનિયમ બ્રોમિન અને આયોડીન જેવા તત્વો મળી રહે છે. આ જ કારણથી તે ઘણી બિમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. તો તમે પણ જાણો તેના ફાયદા.
ગરમ પાણીની સાથે લો સિંધવ મીઠું:
રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે અને બોડીમાં જમા ફેટને ધીરે-ધીરે નીકાળી દે છે.
સિંધવ મીઠુંવાળા પાણીથી સ્નાન:
વજન ઘટાડવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે. સિંધવ મીઠુંવાળા પાણીમાં 15 મિનિટ આખા શરીરને ડુબાડી રાખો. તેના માટે 1 ટબમાં નવશેકું પાણી લઈને તેમાં સારી માત્રામાં સિંધવ મીઠું નાંખો. પછી આ પાણીમાં થોડીવાર રહો. આનાથી બોડી ડિટોક્સીફાઈ થાય છે અને વજન ઉતરે છે. આ પાણી ત્વચા સંબંધિત બિમારીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. બોડી ડિટોક્સ થવાને કારણે બોડીમાં રહેલાં ટોક્સિન્સ પણ નીકળી જાય છે અને તેનાથી સ્કિન ગ્લો કરે છે અને મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. સપ્તાહમાં 2-3વાર સિંધવ મીઠુંવાળા પાણીથી સ્નાન કરો.
સિંધવ મીઠાના અન્ય ફાયદા:
- સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.
- ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.
- મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.
- પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી.