ધ્યાનની અમુક વિધિમાં એક ખાસ વિધિ એવી છે જેમાં મન જ અદ્રશ્ય થઈ જાય છે અને જેટલી પણ ક્ષણો તે અદ્રશ્ય રહે છે તેટલી વાર અદ્દભુત અનુભવ થાય છે.
ધ્યાનની એક વિધિમાં ખાસ અનુભવ
મન પર સતત ધ્યાન કેન્દ્રીત કરવાથી તે અદ્રશ્ય થાય છે
અદ્રશ્ય થઈને પાછું આવતું પણ રહે છે મન
મળે છે ઊંડી શાંતિ અને જીવનમાં સુખચૈન
જરા વિચારો કે થોડી પણ સેકન્ડ માટે આપણું મન જ અદ્રશ્ય થઈ જાય તો શું થાય? ન માની શકાય તેવી વાત છે પરંતુ યોગમાં આ વાતને સત્ય જણાવાઈ છે. ધ્યાનની એક ખાસ વિધિના નિયમિત અભ્યાસથી આપણે આપણું મન જ ગાયબ કરી શકીએ છીએ અને અદ્દભૂત લાભ મેળવી શકીએ છીએ.
મન અદ્રશ્ય કરી શકાય છે અને દુખદર્દમાંથી છૂટકારો મેળવી શકાય છે
આજની ભાગદોડ ભરી જિંદગીમાં માનસિક શાંતિ ખૂબ જ જરુરી હોય છે. આજે લોકો માટે પૈસા, ભૌતિક સંપત્તિથી માંડીને સુખ-સગવડની તમામ વસ્તુઓ છે પરંતુ એક વસ્તુની ખોટ છે તે છે શાંતિ. માનસિક શાંતિ અને દુખ-દર્દ દૂર કરવા માટેની એક અદ્દભૂત ધ્યાનની વિધિ યોગમાં જણાવાઈ છે. આ વિધિનો નિયમિત ઉપયોગ કરવાથી મન અદ્રશ્ય થઈ જાય છે અને થોડી વાર પાછું પણ આવે ત્યારે તમને અદ્દભૂત શાંતિનો અનુભવ થાય છે.
શું છે ધ્યાનની વિધિ
ધ્યાનની એક વિધિમાં આપણે બીજે ક્યાંય નહીં પરંતુ આપણા મન પર ધ્યાન કેન્દ્રીય કરવાનું હોય છે. ધ્યાન એટલે મન દ્વારા મન પર ધ્યાન રાખવું. શરુઆતમાં થોડું અઘરુ બની રહે છે પરંતુ સમય જતા તેની પર પકડ આવી જાય છે. સવારમાં કે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે થોડો સમય આંખો બંધ કરીને બેસો અને મન પર ધ્યાન રાખો. શરુઆતમાં મને અહીઁથી તહીં ભટકવા લાગશે પરંતુ તમારે મનને ક્યાંય આડું અવળું ન લઈ જતા ફક્ત તેની પર જ ધ્યાન કેન્દ્રીય કરવાનું હોય છે. જેટલું સમય મન પર ધ્યાન રાખી શકાય તેટલો સમય રાખવું. પ્રાચીન યોગશાસ્ત્રમાં પણ ધ્યાનની આ વિધિનો ખાસ ઉલ્લેખ છે અને તેના દ્વારા આપણે જીવનમાંથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકીએ છીએ.
શું થશે લાભ
ધ્યાનની આ વિધિના ઘણા અમૂલ્ય લાભ છે જે નીચે પ્રમાણે છે