અત્યાર સુધી તમે પપૈયાના પાન ખાવાના તમમા ફાયદા સાંભળ્યા હશે પરંતુ શું તમે પપૈયાના પાનના જ્યુસ માટે ક્યારેય સાંભળ્યું હશે નહીં કે ક્યારેય પીધો હશે નહીં. જો જ્યુસ પીધો હોય તો સારી વાત છે પરંતુ જો ના પીધો હોય તો આજથી જ પીવાનો શરૂ કરી દો. કારણ કે આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રીતે એને પીવાથી તમે ઘણી મોટી બીમારીઓને માત આપી શકો છો. ચલો તો જાણીએ એના ફાયદા વિશે.
પપૈયાનો જ્યુસ દવા જેવો જ છે. આયુર્વેદમાં પણ એના ઘણા ફાયદા જણાવ્યા છે. જો કોઇને બ્લડ પ્લેટલેટ્સ ઓછા હોય તો એના માટે આ રામબાણ ઇલાજ છે. એના માટે એમને દરરોજ બસ એના જ્યુસની બે ચમચી લગભગ 3 મહિના સુધી પીવી પડશે.
ડેન્ગ્યૂ અને મેલેરિયાના પેશેન્ટ્સ માટે પપૈયાના પાન કોઇ વરદાનથી કમ નથી. જો કોઇને ડેન્ગ્યૂ અથવા મેલેરિયા થયો છે તો એના માટે પણ પપૈયાના પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ તાવમાં સતત ઘટી રહેલા પ્લેટલેટ્સને મેન્ટેન કરવાની સાથે સાથે શરીરમાં અશક્તિ વધતી રોકે છે.
કેન્સરના પેશન્ટ્સને પપૈયાના પાનનો રસ પીવો જરૂરી છે. એમાં કેન્સરરોધી ગુણ હોય છે જે કેન્સરના સેલ્સને બનતા રોકે છે. આ ઉપરાંત આ રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
કેટલીક છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવો થાય છે. પપૈયાના પાન તમને એનાથી પણ છુટકારો અપાવે છે. એના માટે પપૈયાના પાનને ઇમલી મીઠું નમક અને 1 ગ્લાસ પાણીની સાથે મિક્સ કરીને કાઢો બનાવી લો જ્યારે આ થોડું નોર્મલ થઇ જાય તો એને પી લો. તમને આરામ મળશે.
પપૈયાના પાનના જ્યુસ તમારી ઇમ્યૂનિટીને વધારવામાં મદદ કરે છે. એના જ્યુસને દરરોજ પીવાથી શરીરમાં બેક્ટેરિયાનો ગ્રોથને રોકી શકાય છે. આ ઉપરાંત લોહીમાં વાઇટ બ્લડ સેલ્સને વધારવામાં પણ મદદ કરે છે.