નિશ્ચિત વ્યાજદરો સાથે કેટલાક અન્ય વિકલ્પો છે જેના દ્વારા વ્યાજદર વધે તો પણ EMI બોજ ઘટાડી શકાય છે
નિશ્ચિત વ્યાજદરો સાથે કેટલાક વિકલ્પો દ્વારા EMI ઘટાડી શકાય
નિશ્ચિત વ્યાજદરો માટેના વિકલ્પો અત્યંત મર્યાદિત છે
તફાવતની રકમનું રોકાણ કરવાનું શરૂ કરવાથી ફાયદો થશે
નિશ્ચિત વ્યાજદરો સાથે કેટલાક વિકલ્પો દ્વારા EMI ઘટાડી શકાય
હોમ લોનના દર એક દાયકાના નીચા સ્તરે છે, પરંતુ તે વધવા લાગ્યા છે. ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક તાજેતરમાં હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બીજી ઘણી બેંકો પણ ટૂંક સમયમાં આવું પગલું ભરી શકે છે.આ કારણે તમારા પર EMI નો બોજ વધી શકે છે, જે તમારા ઘરનું બજેટ બગાડી શકે છે.જો કે, નિશ્ચિત વ્યાજદરો સાથે કેટલાક અન્ય વિકલ્પો છે જેના દ્વારા વ્યાજદર વધે તો પણ EMI બોજ ઘટાડી શકાય છે
નિશ્ચિત વ્યાજદરો વિકલ્પો તપાસો
બેંકો બે પ્રકારના દરે હોમ લોન ઓફર કરે છે. પ્રથમ રૂપાંતરિત દરો અને બીજો નિશ્ચિત દર છે.જ્યારે વ્યાજદરોમાં વધારો કે, ઘટાડો થાય ત્યારે તેના વ્યાજદારો બદલાવ રહેતા હોય છે.જ્યારે નિયત દરોમાં ફેરફારની અસર થતી નથી. જો કે, નિશ્ચિત વ્યાજદરો માટેના વિકલ્પો અત્યંત મર્યાદિત છે. વધુમાં નિયત દરો રૂપાંતરિત દરો કરતાં વધારે હોય છે. ઉદાહરણ તરીકે એચડીએફસી બેન્કના 6.80 ટકાના રૂપાંતર દરે હોમ લોન ઓફર કરે છે. બીજી બાજુ 7.45 ટકા નિશ્ચિત દરે હોમ લોન આપી રહ્યાં છે. આમ નિયત દર લગભગ 0.65 ટકા વધારે છે.
હવે તમારી બચતનું રોકાણ કરો
નાણાકીય સલાહકારોનું કહેવું છે કે હાલના હોમ લોનના વ્યાજ દરો કરતાં લગભગ બે ટકાના ઊંચા દરની અપેક્ષા રાખીને, હવે બચત કરો. એટલે કે, જો તમે અત્યારે 6.80 ટકાના દરે હોમ લોન લીધી છે, તો માની લો કે તમે 8.80 ટકા વ્યાજ ચૂકવી રહ્યા છો. તે પછી હવેથી આ તફાવતની રકમનું રોકાણ કરવાનું શરૂ કરો. આનો ફાયદો એ થશે કે જ્યારે વ્યાજ દરો વધશે, તો તે કિસ્સામાં, ઘરના બજેટમાં કાપ મૂક્યા વિ