લૉકડાઉનમાં છૂટ બાદ લોકો જે રીતે બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનાથી કોરોના વાયરસના દર્દીના સંખ્યા ઝડપથી વધી શકે છે. સ્થાનિક પ્રશાસનને કન્ટેનમેન્ટ એરિયાને સમગ્ર રીતે બંધ કરવાની સલાહ પણ આપી છે. છૂટ દરમિયાન લોકોએ સરકારના દિશા-નિર્દેશોનું પાલન ના કર્યું તો સ્થિતિ બેકાબૂ પણ થઇ શકે છે.
કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે
દારૂની દુકાનોની બહાર લાગેલી લાઇન અને ભીડને જોઇને આ આશંકા લગાવાઇ
કોરોનાને ફેલાતા રોકવા સામાન્ય લોકોનો સહયોગ પણ જરૂરી
સ્વાસ્થ્ય મંત્રાલયને આશંકા છે કે લૉકડાઉનમાં છૂટ બાદ લોકો જે રીતે લોકો બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનાથી દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ શકે છે. સોમવારે રેડ ઝોન વાળા વિસ્તારોમાં દારૂની દુકાનોની બહાર લાગેલી લાઇન અને ભીડને જોઇને આ આશંકાને વધારી દીધી છે. આવી સ્થિતિથી બચવા માટે સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા અને સાફ-સફાઇ પર ધ્યાન રાખવાની અપીલ કરી છે.
સરકારના દિશા-નિર્દેશોનું પાલન ના થયું તો સ્થિતિ થઇ શકે છે બેકાબૂ
આ બાબતે સ્વાસ્થ્ય મંત્રીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સોમવારથી લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કોરોનાના નવા કેસમાં વધારો થવો સ્વાભાવિક છે. ધ્યાન આપવાની વાત એ છે કે કોરોનાના નવા કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. એમાં વધારે વધારો થયા બાદ સ્થિતિ બેકાબૂ થવાના જોખમ માટે પૂછવા પર એમને કહ્યું કે સ્થાનિક પ્રશાસનને કન્ટેનમેન્ટ એરિયાને સમગ્ર રીતે બંધ કરવાની સલાહ પણ આપી છે. છૂટ દરમિયાન લોકોએ સરકારના દિશા-નિર્દેશોનું પાલન ના કર્યું તો સ્થિતિ બેકાબૂ પણ થઇ શકે છે.
કોરોનાને ફેલાતા રોકવા સામાન્ય લોકોનો સહયોગ પણ જરૂરી
લૉકડાઉન ખોલ્યા બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં જોરદાર વૃદ્ધિની આશંકા માટે પૂછવા પર સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સરકાર સમગ્ર સ્થિતિ પર ગાઢ નજર રાખી રહી છે. જો કોઇ પણ વિસ્તારમાં સ્થિતિ બેકાબૂ થતી નજરે જોવા મળી તો ત્યાં તત્કાલ પગલા ભરવામાં આવશે. એમને કહ્યું કે કોરોનાને રોકવા માટે સામાન્ય લોકોનો પણ સહયોગ જરૂરી છે.
#WATCH Andhra Pradesh: Long queue seen outside a liquor shop in Chittoor; social distancing norms flouted. pic.twitter.com/v9IgIrZGqQ
સરકારનું માનવું છે કે તેઓ લૉકડાઉનથી કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાની સ્પીડ 12 દિવસ સુધી લાવવામાં સફળ રહી છે. દરરોજ આવનારા નવા કેસની સંખ્યા વધવા છતાં એમાં કોઇ કમી આવી નથી. હવે ધીરે ધીરે લૉકડાઉન ખોલીને સરકાર કન્ટેન્ટમેન્ટ પ્લાન, સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સફાઇ જેવા ઉપાયોને અજમાવવાનો પ્રયત્ન કરી રહી છે.
સારવાર લઇને ઠીક થતા દર્દીઓની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો
કોરોના સામે લડાઇમાં તમામ પાયા પર ભારત દુનિયામાં પ્રથમ સાબિત થઇ રહ્યું છે. ભારતમાં હવે કુલ દર્દીઓના સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 27.52 ટકા વધી ગઇ છે. એ હેઠળ ભારતમાં 90 ટકા કોરોના દર્દી હોસ્પિટલથી સ્વ્સ્થ્ય થઇને બહાર નિકળી રહ્યા છે અને માત્ર 10 ટકા દર્દીઓનું મોત થઇ રહ્યું છે. જ્યારે પહેલા 80 ટકા દર્દીઓ ઠીક થતા હતા અને 20 ટકા દર્દીઓનું મોત થઇ જતું હતું.