વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન 141 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.
વિધાનસભા સત્ર દરમિયાન આંદોલન થવાની ભીતિ
રોજગાર અને ખેડૂત મુદ્દે થઈ શકે છે આંદોલન
વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષા વધારાઇ
ગુજરાતમાં વિધાનસભા સત્ર દરમિયાન રોજગાર અને ખેડૂત મુદ્દે આંદોલન થવાની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન 141 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. વિધાનસભામાં 1 DySP, 4 PI અને 8-PSI તૈનાત કરાશે. જ્યારે વિધાનસભા બહાર 2-SP, 10 DySP અને 350 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.
1 માર્ચથી ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બજેટ સત્ર માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીને લઇ વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. જે મુજબ 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે. તો મુલાકાતીઓ માટે વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચૂંટણી પરિણામને લઈને બજેટ તારીખના ફેરફાર
રાજ્ય સરકારે બજેટની તારીખમાં ફેરફાર કર્યા છે. રાજ્યનું બજેટ 3 માર્ચે રજૂ કરવામાં આવશે. પહેલા 2 માર્ચે બજેટ રજૂ કરવાની જાહેરાત થઈ હતી. 2 માર્ચે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકાના પરિણામ છે. ચૂંટણી પરિણામને લઈને બજેટ તારીખના ફેરફાર થયો છે.