આજકાલની વ્યસ્ત અને ખોટી જીવનશૈલીમાં દરેક વ્યક્તિની આંખો નબળી થઇ રહી છે. આનુ સૌથી મોટું કારણ એ છે કે જરુર કરતાં વધારે મોબાઇલ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરવો. અહીંયા સુધી તો ઠિક પરંતુ નાના બાળકોની આંખો પણ કમજોર થઇ રહી છે અને તેમને પણ ચશ્મા લગાવવા પડી રહ્યા છે. જો કોઇને ચશ્માથી છુટકારો મેળવવો હોય તો આ ઘરેલું નુસખાઓને જરુર ટ્રાય કરો. થોડા જ દિવસમાં તેનો અસર જોવા મળી જશે.
આટલું કરો જેનાથી આંખમાં થશે ફેરફાર
ઘરેલું નુસખાથી ચશ્મા દૂર કરવાની ટ્રિક
આટલું કરવાથી અઠવડિયામાં વધશે આંખનું તેજ
લીલાં ધાણાનો રસ :
ઘણાં ઓછા લોકો જાણે છે કે લીલાં ધાણાના રસથી આંખોનુ તેજ બરાબર કરી શકાય છે. આની માટે ફક્ત લીલાં ધાણાનો રસ કાઢીને બંને આંખોમાં નાખવાનો છે અને રસ નાખ્યા બાદ આંખોને દસથી પંદર મિનિટ સુધી બંધ રાખવાની છે.
ગાજરનો રસ :
ગાજર એ વિટામીન-એ નો સૌથી સારો સ્ત્રોત છે અને આનું સેવન આંખો માટે ઘણુ ફાયદાકારક હોય છે. ગાજરનો જ્યુસ કાઢીને રોજ સવારે પીવાનો રહેશે. નિયમિત રુપે આ જ્યુસનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે.
ત્રિફળા પાઉડર :
એક ચમચી ત્રિફળા પાઉડરને એક ગ્લાસ પાણીમાં રાતભર નાખીને મૂકી દો. પછીના દિવસે સવારે આ પાણીને ગાળી લો અને આ પાણીથી તમારી આંખ ધોવો.પછી આંખ ધોવાના સમયે ચોખ્ખુ પાણી વાપરો. એક મહિનો આ રીતે આ પાણીનો ઉપયોગ કરવાથી તમને આંખોના તેજમાં ફરક દેખાવા લાગશે.
સરસિયાનુ તેલ :
સરસિયાના તેલનો ઉપયોગ ખાવાની સાથે સાથે વાળમાં લગાવવા માટે પણ કરી શકાય છે. શું તમે જાણો છો આના ઉપયોગથી આંખોની દ્રષ્ટિમાં પણ ફેરફાર થાય છે. રાત્રે સૂતા પહેલાં પગના તળિયામાં સરસિયાના તેલની માલિશ કરવાથી આંખોની તેજને વધવામાં મદદ મળે છે.