દેશમાં આતંકી હુમલાના ઇનપુટને લઇને ગુજરાતમાં કચ્છની સરહદ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દેશમાં એલર્ટ આપી દેવાયું છે અને સરહદી વિસ્તારોમાં સુરક્ષાબળો સ્ટેન્ડ ટૂ કરી દેવાયા છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષા વધારી દેવાઇ છે. 1 DySP, 3 PI, 210 પોલીસ કર્મી અને લોકલ સિક્યોરિટી ખડેપગે છે.સોમનાથ મંદિર આતંકવાદીના ટાર્ગેટ હોવાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પાકિસ્તાનને જોડતા સરહદી જિલ્લાઓમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જમ્મૂ-કશ્મીર બોર્ડર પર પણ સૈન્યની વધારાની ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે. કશ્મીરના પૂંછ, રાજૌરી અને સાંબા સેક્ટરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં ઉશ્કેરાયું છે. પ્રૉપગેન્ડા અને કૂટનીતિક તરીકે કામ ન આવવા પર તેઓ આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરાવી શકે છે. જેને ધ્યાને રાખતા કચ્છમાં ભારતની પાકિસ્તાન સાથે જોડાયેલ બોર્ડરને લઇને ટેરર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાત પોલીસે આ અલર્ટ મોકલ્યું છે.
પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્યની કચ્છ બોર્ડર પર આતંકી અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખુફિયા એજન્સીઓએ ગુજરાત પોલીસને અલર્ટ રહેવા કહ્યું છે. તો બીજી તરફ આતંકીઓની ઘૂસણખોરીના અલર્ટને લઈને ભારત-પાક બોર્ડ પર મરીન અને સીમા પોલીસને તૈનાત કરવામાં આવી છે. આ સિવાય પણ બોર્ડર વિસ્તારમાં રહેનારા લોકો અને માછીમારોને પણ સતર્ક રહેવા કહેવાયું છે.