ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધારો થયો છે. ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો 20 કિલોના 100 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીના મળી રહ્યાં છે જે તેમના ઉત્પાદન ખર્ચ કરતા સાવ ઓછા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી
ડુંગળીના ભાવને લઇ ખેડૂતોમાં અસંતોષ
ખેડૂતોને ડુંગળીના ભાવને લઇ નિરાશા
ભાવનગરમાં એક અંદાજ મુજબ 30 થી 40 હાજર હેક્ટરમાં ડુંગળી નું વાવેતર થાય છે જે રાજયમાં સૌથી વધુ છે અને રાજ્યમાં ઉત્પાદિત થતી ડુંગળી ના 50 ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે ભાવનગરમાં ઘોઘા ,તળાજા ,મહુવા સહિત ના વિસ્તરામાં ડુંગળી નું વાવેતર થાય છે
યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક થઈ છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 40 હજાર બોરી ડુંગળી લઇ ખેડૂતો આવી માટે આવી રહ્યા છે. ત્યારે હવે માર્કેટિંગ યાર્ડમાં વધુ ડુંગળી આવતા ડુંગળીને મુકવાની જગ્યા ઓછી પડી છે. જેથી જગ્યાનો પ્રશ્ન ઉભો થયો છે.. તો માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ યાર્ડ પાસેની એક પડતર સરકરી જગ્યામાં ડુંગળી ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ જગ્યામાં ડુંગળી ઉતારવા માટે કમ્પાઉન્ડ સહિત અન્ય સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યાં છે. તો બીજી તરફ જો યાર્ડમાં હજુ પણ ડુંગળી આવતા ખેડૂતોને ડુંગળીના હાલ કરતા પણ ઓછા ભાવ મળી શકે છે
ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
એક તરફ મોંઘાદાટ બિયારણો બીજીબાજુ મોંઘી મજૂરી અને ગત વર્ષે ભાવનગર જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદના કારણે ડુંગળીના પાકને નુકશાની થઈ છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો બીજીબાજુ ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો 20 કિલોના 100 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીના મળી રહ્યાં છે જે તેમના ઉત્પાદન ખર્ચ કરતા સાવ ઓછા છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો અમને જયારે માલ વહેંચવા આવીયે ત્યારે મિનિમમ 500 રૂપિયાનો ભાવ મળે તો જ અમને ફાયદો થાય છે નહિતર ખેડૂતોને રાતાપાણી એ રોવાનો વારો આવશે