ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થઈ ભારે રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
પાણીની ભારે માત્રામાં આવક થતાં છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો છે. હવે ડેમની જળસપાટી 127.82 મીટરે પહોંચી છે. ગઇકાલે ડેમની જળસપાટી 127.36 મીટરે હતી.
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે CHPHના ટર્બાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. તો કેનાલમાં પણ 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો હજુ પણ જળસપાટી વધે તો ડેમના દરવાજા પણ ખોલવામાં આવી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદામાં ભારે વરસાદ થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 127.82 મીટરે પહોંચી છે. હાલમાં ડેમમાં 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી કેનાલમાં 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. (ઘટનાને દર્શાવવા માટે પ્રતિકાત્મક તસ્વીર લેવામાં આવી છે)