ગુજરાતમાં આવેલા નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં છેલ્લા બે દિવસથી પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડેમમાંથી 8000 ક્યૂસેક પાણી છોડાયું છે. નર્મદા બંધની જળ સપાટી 105.61 મીટર પહોંચી છે. આથી ગુજરાતને પીવા માટે IBPTમાંથી 2089 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પરિણામે ઈન્દિરા સાગર ડેમના જળ વિદ્યુત મથકો શરૂ થયાં છે.
ગુજરાતને વાદળછાયા વાતાવરણનો મસમોટો ફાયદો થયો હોય નર્મદા નદીના ઉપરવાસમાં વરસાદી વાતાવરણને કારણે પાણીની આવક થવા પામી છે. ઉપરવાસમાંથી 8695 ક્યૂસેક પાણીની આવક છતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં 13 સે.મી.નો વધારો થયો છે. હાલમાં ડેમ ખાતે પાણીની જળ સપાટી 105.61 મીટર નોંધાવા પામી છે.
સરદાર સરોવરમાં ડેડ સ્ટોકનો જથ્થો 3094 મિલિયન ક્યૂબીક મીટર બાકી છે. પાણીની આવક થતાં ગુજરાતને પીવા માટે IBPTમાંથી 2089 ક્યુસેક પાણી છોડાયું છે. આ ઉપરાંત ઈન્દિરા સાગર ડેમના જળવિદ્યુત મથકો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યુત મથકો શરૂ થતાં 7678 ક્યૂસેક પાણી છોડાતા પાણીની આવક વધી હોવાનું જાણવા મળ્યું છે.