વરસાદમાં ખેતરોમાં પાણી ભરાય જતાં શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેને લાઈને શાકભાજીની આવક ઘટી છે. જેના કારણે શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો બાદ હવે તેની અસર શાક્ભાજીના ભાવ પર પડી રહી છે. તેમજ બીજા રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટી છે. જેને લઈને શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલા ભારે વરસાદથી ખેતીમાં ભારે નુકશાન થયું છે. જેના લીધે શાકભાજીના પાક નુકશાન થયું છે. તેમાં પણ ખાસ કરીને શાકભાજીના હબ ગણતા દક્ષીણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થયો જેની અસર હજુ પણ શાકભાજીના ભાવમા જોવા મળી રહી છે.
શાકભાજીની આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ચોતરફ વરસેલા વરસાદથી વાહન વ્યવહાર પણ ખોરવાયું છે. જેને લઈને પરપ્રાંતથી પણ શાકભાજી માર્કેટમાં આવી નથી રહી છે. અમદાવાદ શાક માર્કેટમાં રોજની ૧૦૦થી ૧૫૦ ટ્રક શાકભાજી આવતા હતા. જે હવે ઘટી ને માત્ર 80-90 આવે છે. જેને લઈને ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.
મોઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જેનાથી ગરીબ અને માધ્યમ વર્ગના લોકો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યાં છે. શાકભાજીમાં થયેલા વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયી ગયું છે. દરેક શાકભાજીમાં ૨ ગણો વધારો જોવા મળી રહ્યો છે.
વધેલા ભાવ પર નજર કરીએ
ટામેટા 50થી 60 પ્રતિ કિલો
ગવાર 110થી 120 પ્રતિ કિલો
મરચા 80થી 90 પ્રતિ કિલો
કોબીજ 70થી 80 પ્રતિ કિલો
કોથમીર 100 પ્રતિ કિલો
ફ્લાવર 70થી 80 પ્રતિ કિલો
ભીંડા 80થી 100 પ્રતિ કિલો
ચોળી 90થી 100
દુધી ૪૦થી ૫૦ પ્રતિ કિલો
આદુ ૧૦૦થી ૧૨૦ પ્રતિ કિલો
પરવર 80થી 90 પ્રતિ કિલો
કંકોડા 100થી 110 પ્રતિ કિલો
મેથીની ભાજી ૧૦૦થી ૧૨૦ પ્રતિ કિલો
ફુદીનો ૧૦૦ થી ૧૨૦ પ્રતિ કિલો
હાલ જોવા શાકભાજીનો ભાવ વધવાનું એક માત્ર કારણ ભારે વરસાદ બાદ વધી રહેલી ગરમી છે. જેને કારણે શાકભાજીની આવક ઘટી છે. જો આવનાર દિવસમાં આવક નહિ વધે તો હજુ પણ ભાવ વધી શકે છે. આમ શાકભાજીના બજારમાં સળગતા ભાવોએ ગૃહિણીઓના બજેટ તો ખોરવ્યા છે જ સાથોસાથ ગૃહિણીઓ માટે એ પ્રશ્ન સર્જયો છે કે આજે રસોઇમાં શું બનાવવું....