એક મહિનામાં AMCના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાયા, વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસો
અમદાવાદમાં રોગચાળાએ વધારી ચિંતા
જુલાઇ મહિનામાં કેસો વધ્યા
સ્વાઇન ફ્લૂના 30 કેસો નોંધાયા
વરસાદી ઋતુમાં અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. એક મહિનાની અંદર AMCના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે.
અમદાવાદમાં મેલેરિયા, ટાઈફૉઈડ, કમળાનો ભરડો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે.જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 98 અને ઝેરી મેલેરિયાના 2 કેસ , ડેન્ગ્યુના ચાલુ માસમાં 43 અને ચિકનગુનિયાના 12 કેસ , ઝાડા ઉલ્ટીના જુલાઈ માસમાં 916 કેસ નોંધાયા , કમળાના જુલાઈ માસમાં 245 કેસ નોંધાયા તો ટાઈફોઈડના 258 કેસ જુલાઈ માસમાં નોંધાયા છે.કોરોનાના કેસ વધતા AMC એ દૈનિક સેમ્પલ કલેક્શનમાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 2500 જેટલા સેમ્પલ લેવાની કરાઈ રહી છે કામગીરી 2500 પૈકી 9 ટકા કેસ પોઝિટિવ આવતા હોવાની સ્થિતિ છે તો વટવા લાંભા સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસ જોવા મળ્યાં છે.
હોસ્પિટલની કેસ બારી દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદ શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે . શહેરની સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસના દર્દીઓમાં વધારો થયો છે.બદલાતા જતા વાતાવરણ વચ્ચે કોરોનાના કેસો તો વધી રહ્યા છે તો બીજી તરફ સરકારી હોસ્પીટલમાં ઋતુગત બીમારીએ માથું ઊંચક્યું છે.જેના સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલની કેસ બારી દર્દીઓ થી ઉભરાઈ છે.
કોરોના કેસો કંટ્રોલમાં
છેલ્લાં કેટલાક દિવસથી હાહાકાર મચાવતા કોરોના પોઝીટીવ કેસોમાં સોમવારે એકાએક ઘટાડો આવ્યો હતો. આરોગ્ય તંત્રના ચોપડે આજે માત્ર 606 કેસ જ સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે થોડા સમયથી કોરોના દૈનિક કેસો 1 હજારને પાર થઈ રહ્યા હતા. તેવામાં આજે માત્ર છેલ્લા 24 કલાકમાં 606 પોઝીટીવ કેસો નોંધાયા હતા.બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા 6413 ને પર પહોંચી છે. અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે. મહાનગરોમાં કોરોના કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકામાં 172 કેસ સામે આવ્યા છે જ્યારે એક દર્દી એ કોરોના ને પગલે દમ તોડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 38 અને ગાંધીનગરમાં 13 તેમજ ભાવનગરમાં 11 અને જામનગરમાં માત્ર પાંચ કેસ નોંધાયા છે. જૂનાગઢમાં આજે એક પણ કેસ નોંધાયો નથી.