રાજ્યમાં હાલ ઠંડી બરાબરની જામી છે. ત્યારે શિયાળામાં લીલા શાકભાજીના ભાવમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે હોલસેલ માર્કેટમાં ભાવ ઓછો છે પરંતુ રિટેલ બજારમાં ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.
શાકભાજીના ભાવમાં રિટેલ બજારમાં નથી જોવા મળી રહ્યો કોઈ ફેરફાર
શિયાળાની સિઝન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માંગ
હજી આગામી દસ દિવસ સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા
આ શિયાળામાં બોનફાયરની સાથે ઊંધિયું અને પોંક પાર્ટીનું આયોજન કરી રહ્યા છો? તો શિયાળામાં પણ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા હોવાથી વધારાનો ખર્ચ કરવા માટે તૈયાર રહેવું પડશે. હાલમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતના સિઝનલ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે. સાથે મનપસંદ ઊંધિયું બનાવવા માટેના મુખ્ય શાકભાજીના ભાવ વધી ગયા છે.
લીલા શાકભાજી વધારે મોંઘા થઈ ગયા
શિયાળાની સિઝન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માંગ સાથે થતી હોય છે, ત્યારે શિયાળામાં લીલા શાકભાજી વધારે મોંઘા થઈ ગયા છે. હજી આગામી દસ દિવસ સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. ઈંધણમાં થયેલા ભાવ વધારાની અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર પડી છે અને તેના કારણે શાકભાજીના છૂટક ભાવ પણ વધ્યા છે.
શાકભાજીના શું છે ભાવ?
શાકભાજી
હોલસેલ
રિટેલ
ટામેટા
10-12
10-12
બટેકા
10-15
10-15
ડુંગળી
10-15
30-35
આદુ
30-40
55-60
લીંબુ
25-30
40-45
પાપડી
40-50
70-80
લીલુ લસણ
45-55
70-80
કોબીજ
30-35
50-55
ફૂલવાર
25-30
35-40
કારેલા
30-35
35-40
ગવાર
25-30
35-40
મેથી
30-40
45-55
અળવીના પાન
30-35
45-50
ભાવમાં ઘટાડો થયો નથીઃ ગૃહિણી
શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે આવેલ શીતલબેન નામના ગૃહિણીએ જણાવ્યું કે, સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઘટતા હોય છે. પરંતુ આ વખતે ભાવમાં ઘટાડો થયો નથી. દર વર્ષે જમાલપુર માર્કેટમાં શાકભાજી ઘણુ સસ્તુ લાગતું હતું પરંતુ આ વર્ષે ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.
શિયાળો અને લગ્નની સીઝનના કારણે માગમાં નોંધપાત્ર વધારોઃ વેપારી
શાકભાજીના વેપારી સાજીદ ખાને જણાવ્યું કે, આ જ સમયે શિયાળો અને લગ્નની સીઝનના કારણે માગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે મોટાભાગના લીલા શાકભાજીના જથ્થાબંધ ભાવ ઓછામાં ઓછા 15 ટકા જેટલા વધ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં છૂટક લીલા શાકભાજીના ભાવ હોલસેલ ભાવ કરતાં લગભગ બમણા છે. લીલા અથવા અન્ય શાકભાજીની માગમાં કોઈ ફેરફાર થયો નથી.