31 ડિસેમ્બરે ગુજરાતમાં દારુ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ વર્ષ 2020માં દારૂ પરમીટ માટે અમદાવાદમાં 3200 લોકોએ નશાબંધી વિભાગમાં અરજી કરી છે. કોરોનાકાળમાં ચાલુ વર્ષે આરોગ્યનું કારણ આપી આ તમામ લોકોએ દારૂની પરમીટ માટે અરજી કરી છે.
અમદાવાદમાં વધ્યું દારૂનું ચલણ
3200 લોકોએ દારૂ માટે માગી મંજૂરી
દારૂની પરમિટ માટે માગી મંજૂરી
દારૂને દૂષણ ગણવામાં આવે છે. પરંતુ એવી કેટલાક લોકો માટે દારૂ એ દવા બની છે. છેલ્લા કેટલાય સમયથી દારૂબંધીના કડક અમલના પગલે લોકો દારૂની પરમીટ કઢાવી તેનું સેવન કરી રહ્યા છે. જેના માટે સ્વાસ્થ્યનું કારણ આપવામાં આવી રહ્યું છે. સરકારના નિયમ અનુસાર, નશાબંધી વિભાગ દ્વારા તબીબી અભિપ્રાયના આધારે જરૂરિયાતમંદ કથિત દર્દીઓને દારૂ માટે હેલ્થ પરમીટ આપવામાં આવતી હોય છે. જે અરજદારોની નોંધણી નશાબંધી વિભાગમાં કરવામાં આવે છે. જેના પરવાનેદાર લોકો નિયત થયેલાં યુનિટ સરકાર માન્ય લીકર શોપ પરથી મેળવતાં હોય છે. ત્યારે હવે રાજ્યમાં પરમિટેડ દારૂનું સેવન વધી રહ્યું છે, જેનો આ પુરાવો છે.
નશાબંધી વિભાગ પાસેથી 3200 લોકોએ પરમિશન માગી
આરોગ્યનું કારણ આપી અમદાવાદીઓએ દારુની પરમિશન માગી છે. રાજ્યમાં પરમિટેડ દારુ સેવનનું ચલણ વધી રહ્યું છે. નશાબંધી વિભાગે સિવિલ હોસ્પિટલને અરજી ફોરવર્ડ કરી છે.
આરોગ્યનું કારણ આપી દારૂની પરમીટ માગી
દારૂબંધીવાળા ગુજરાતમાં લિકર પરમીટનું ચલણ હવે વધી ગયું છે. તો સિવિલ હોસ્પિટલમાં આ દારૂ પરમીટ માટે આવેલી હેલ્થ ચેકઅપની પરમીટથી હોસ્પિટલને રૂ.2 કરોડથી વધુની આવક થઇ છે. જેનો સિવિલ હોસ્પિટલ હવે કોરોના સંસાધનો લાવવા માટે ઉપયોગ કરશે.
લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી હતી!
સરકાર દ્વારા જૂન મહિનામાં અનલોકડાઉન 1ની શરૂઆત કરવામાં આવી હતી. જેના હેઠળ સમગ્ર ગુજરાતમાં ચોક્કસ નિયમો સાથે મોટા ભાગની છુટછાટ આપી દેવામાં આવી હતી. આ દરમિયાન લોકડાઉન ખુલતાની સાથે જ કેટલાક લોકો સૌથી પહેલા દારૂ લેવા માટે પહોંચી ચુક્યા હતા. પરમિટેડ વાઇન શોપ ખાતે લિકર લેવા માટે લાઇનો લાગી હતી.