ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે કોઈપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, નવા કેસની સામે આજે ગુજરાતમાં 61 દર્દીઓ સાજા થયાં
ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો
રાજ્યમાં આજે 34 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં આજે 53 દર્દીઓ સાજા થયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે, તો છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું નથી. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
તારીખ
નવા કેસ
મોત
12 જુલાઈ
32
1
13 જુલાઈ
31
0
14 જુલાઈ
41
0
15 જુલાઈ
38
0
16 જુલાઈ
39
0
17 જુલાઈ
37
1
18 જુલાઈ
33
1
19 જુલાઈ
24
0
20 જુલાઈ
29
0
21 જુલાઈ
28
0
22 જુલાઈ
34
0
23 જુલાઈ
36
0
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 61 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,14,223 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ વધ્યા છે. પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 5 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 345 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 8 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 5 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 4 કેસ, જ્યારે ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 1 કેસ અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....