ખરીફ પાકો માટે ટેકાના ભાવ વધારાના સરકારના નિર્ણય પર પીએમ મોદીએ એક નિવેદન આપ્યું છે.
ખરીફ પાકો માટે ટેકાના ભાવ વધારાના નિર્ણય પર પીએમ મોદીનું નિવેદન
કરોડો ખેડૂતો સશક્ત બનશે
સરકારે કેબિનેટની બેઠકમાં 17 પાકોના ટેકાના ભાવ વધાર્યાં છે
સરકાર દ્વારા ખરીફ પાકો માટે ટેકાના ભાવ વધાર્યા બાદ પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે. આ મુદ્દે બોલતા પીએમ મોદીએ કહ્યું કે આનાથી કરોડો ખેડૂતોને લાભ મળશે. તેમણે કહ્યું કે પાકો માટે ટેકાના ભાવ વધારાના સરકારના નિર્ણયને કારણે કરોડો ખેડૂતો સશક્ત બનશે.
PM Modi says Union Cabinet’s decision to increase minimum support price for kharif crops will empower crores of farmers
સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનું પગલું ભર્યું-પીએમ મોદી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનું પગલું ભર્યું છે. પીએમ મોદીનું આ ટ્વિટ સરકાર દ્વારા ટેકાના ભાવ વધારાની જાહેરાત બાદ આવ્યું છે.
2022-23 ના પાક વર્ષ માટે ટેકાના ભાવમાં 4-9 ટકાનો વધારો
કેન્દ્ર સરકારે બુધવારે 2022-23 ના પાક વર્ષ માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં 4-9 ટકાનો વધારો કર્યો છે, જેમાં ડાંગરની એમએસપી 100 રૂપિયા વધારીને 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, આ પગલાનો હેતુ ખેડૂતોને વધુ વિસ્તારને વાવેતર હેઠળ લાવવા અને તેમની આવક વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ વર્ષ 2022-23ના પાક વર્ષ માટે 17 ખરીફ પાકો માટે એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી હતી.
કયા પાકના ટેકાના ભાવમાં કેટલો વધારો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કપાસના મધ્યમ ફાઇબરના એમએસપીમાં 354 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અડદ, મગફળી અને અરહરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષ કરતા આ વખતે મકાઈની એમએમપી 92 રૂપિયા વધુ છે. જુવાર પર 232 રુપિયા અને રાઈના પાક પર 201 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
Cabinet approves MSPs for Kharif Marketing Season 2022-23: Union Minister Anurag Thakur pic.twitter.com/SIaZgb8EBF
મોદી સરકારમાં કૃષિ બજેટ અનેકગણું વધ્યું-અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. 22 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. નાના ખેડૂતોને મજબૂત કરવા માટે 10,000 એફપીઓ ખોલવાની યોજના શરૂ કરવામાં આવી છે. અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા અને તેમની કમાણી વધારવા માટે પ્રતિબદ્ધ છે. અમે માત્ર એમએસપીમાં સતત વધારો જ નથી કરી રહ્યા, પરંતુ વધુને વધુ ખરીદી પણ કરી રહ્યા છીએ. અમારી સરકારમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે 1 લાખ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. અમે સિંચાઈથી લઈને ખેડૂતો માટે વીમા, જમીન આરોગ્યથી લઈને પેન્શન સુધીની તમામ બાબતો પર કામ કરી રહ્યા છીએ.