સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે
સુરત શહેરમાં કોરોનાના વધ્યા કેસ
અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓ પોઝિટિવ
મનપા દ્વારા 120 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ
સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગઈ કાલે અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું, સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા 120 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતો, આમ એકાએક કોરોના કેસમાં ઉછાડો આવતા સુરત મનપા દ્વારા માસ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શાળામાં બે બાળકોનો રિપોર્ટિ પોઝિટિવ આવતા અન્ય બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકાએ શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે, મનપાના નિર્દેશ બાદ શાળાને 7 દિવસ માટે બંધ કરાઈ છે.
સુરત શાળા સંચાલકો અને પાલિકાની બેદરકારી
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓમિક્રોનની દહેશત યથાવત છે ત્યારે શાળામાં બાળકોના સંક્રમણનો ખતરો પણ વધ્યો છે. ત્યારે મનપા અને શાળાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અડાજણની સંસ્કારભારતી શાળાની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાદ પણ વિદ્યાર્થિની શાળાએ આવી રહી હતી. ચાર દિવસ પહેલા વિદ્યાર્થીની બિમાર પડી હતી ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જોકે શાળા સંચાલકોએ ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો ઇન્કાર કરી રહ્યા છે. કોરોનાનો કેસ આવ્યા છતાં બાળકો શાળાએ આવ્યા હતા તેથી શાળા સંચાલકો અને પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.
નવા વેરિએન્ટ ઓમિક્રોમે અનેક દેશોની ચિંતા વધારી
દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોમે અનેક દેશોની ચિંતા વધારી છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અટેલું જ નહીં ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો એક કેસ નોંધાયો છે, એવામાં કોરોના કેસ પણ હવે ગોકળ ગતિએ વધી રહ્યા છે, ઓમિક્રોન વેરિએન્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, સાથે એરપોર્ટ પર વિદેશની આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, વિદેશની પરત આવેલાઓનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમને ફરજીયાત ક્વોરોન્ટાઈ રહેવાનો નિર્દેશ કરાયો છે.
UKથી પરત આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મહત્વનું છે કે વડોદરામાં UKથી પરત આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે આણંદની એક યુવતીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. UKથી પર ફરેલા વૃદ્ધનો કોપોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે જેને પગલે વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો કોરોના પોઝિટિવ વૃદ્ધનો રિપોર્ટ પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે વૃદ્ધમાં ઓમિક્રોન વેરિએન્ટના કોઈ લક્ષણો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે, વૃદ્ધને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે મહત્વનું છે કે એક અઠવાડિયું હોમ ક્વોરન્ટાઈન રહ્યાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે.
UKથી એક વૃદ્ધ દંપતી કોરોના સંક્રમિત
અહીં ઉલ્લેખનિય છે કે ગઈ કાલે પણ UKથી એક વૃદ્ધ દંપતી પરત ફર્યું હતું તે પણ કોરોના સંક્રમિત હોવાને કારણે તેમને વડોદરા મનપા દ્વારા તાત્કાલિક સારવરા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું હાલ એ દંપતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલું જ નહીં વૃદ્ધ દંપતી પર નજર રાખવા હોસ્પિટલ રૂમમાં કેમેરા મુકી દેવામાં આવ્યા છે હાલ તો વૃદ્ધ દંપતીના સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયા છે, મહત્વનું છે કે ઈંગ્લેન્ડમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરતું અમદાવાદ એરપોર્ટ પર બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી આરોગ્ય વિભાગ અગમચેતી રૂપ પલગા લેવામાં આવ્યા છે.