ગુજરાતના મહાનગરો જેવા કે વડોદરા,અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું ,પાણીજન્ય,મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો
વડોદરામાં રોગચાળો વકર્યો
પાણીજન્ય,મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો
ડેન્ગ્યુ,ચિકનગુનિયા,કમળાના કેસોમાં વધારો
ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળાનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે આ વખતે પણ રાજ્યના અનેક મોટા શહેર રોગચાળાએ ભરડો લીધો છે,રાજ્યના મહાનગરો જેવા કે વડોદરા,અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં સિઝિનલ બિમારીના કેસનું પ્રમાણ વધી રહ્યું છે.
વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો
વડોદરાના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસમાં વધારો નોંધાયો છે ડેન્ગ્યુ,ચિકનગુનિયા,કમળાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
વડોદરા સશગેરમાં ડેન્ગ્યુ,ચિકનગુનિયા,કમળાના 747 કેસ નોંધાયા છે તેમજ તાવના 630થી વધુ કેસ સામે આવ્યા છે તો બીજી તરફ કોરોના પોઝિટિવના 4 કેસ અને મ્યુકરમાઇકોસિસનો 1 કેસ, આમ સતત વધતા રોગચાળાને પગલે મનપાએ બાંધકામ સાઈટો અને 8 શાળાને નોટીસ પણ ફટકારી છે.
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો
વડોદરા શહેરમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા ઓપીડીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે સાથે SSG હોસ્પિટલની OPDમાં એક જ દિવસમાં 500થી વધુ દર્દીઓએ સારવાર લીધી હોવાનું મનાઈ રહ્યું છે.
આમ હોસ્પિટલમાં સંખ્યાબંધ લોકોને દાખલ કરવા પડતા હોવાથી SSG હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે SSG હોસ્પિટલના 285 બેડમાંથી 62 બેડ ખાલી હોવાનું જણાઈ રહ્યું છે તેમજ કેટવાક દર્દીઓને નીચે સુવડાવવામાં નોંબત આવી છે. ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા શહેરનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
ડેન્ગ્યુ,ચિકનગુનિયા,કમળાના કેસોમાં વધારો
આ તરફ અમદાવાદ પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસનું પ્રમાણ વધુ છે સાથે જ મચ્છરજન્ય અને પાણી જન્ય રોગના કેસ પણ સતત વધી રહ્યા છે. કોર્પેરેશનને જાહેર કરેલા આંકડાઓ અનુસાર ડેન્ગ્યૂના કેસ ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધી ગયા છે.
તેમજ સાથે અને ઝેરી મેલેરિયાના કેસમાં પણ મોટો ઉછાળો નોંધાયો, અમદાવાદમાં ચિકનગુનિયાના કેસ પણ ગત વર્ષના 196ની સરખામણીએ બે ગણા વધીને 412 થઈ ગયા છે.આ તો સરકારી હોસ્પિટલના આંકડાની વાત થઈ. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ, મેલેરિયાના અનેકગણા વધારે દર્દીઓ દાખલ હોઈ શકે છે.