31 ઓક્ટોબરથી અમદાવાદ-ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક ટ્રેન દોડશે
પીએમ મોદી નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે
ઉદયપુરના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેનને જલ્દી ચલાવવાની કરી હતી માંગ
અમદાવાદ-ઉદયપુર ગેજ કન્વર્ઝન પૂરું થયા પછી હવે આ ટ્રેક પર ટ્રેન દોડાવવાની રાહ પણ પૂરી પવ આવી છે. જણાવી દઈએ કે બે દિવસ પછી 31 ઓક્ટોબરથી આ નવા બ્રોડગેજ ટ્રેક પર ટ્રેનો દોડવાનું શરૂ કરશે. મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ટ્રેનને લીલી ઝંડી બતાવશે સાથે જ આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં હાજર રહેશે. એ ટ્રેકના ઉદ્ઘાટન પછી ત્યાં ત્રણ લોંગ રુટની ટ્રેનો દોડશે. આ રેલ લાઇન પર ટ્રેન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે.
પીએમ મોદી કરશે રેલવે લાઇનનું ઉદ્ઘાટન
જણાવી દઈએ કે ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણાએ શુક્રવારે મોડી રાત્રે રેલ્વે મંત્રી સાથે વાત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 ઓક્ટોબરે સાંજે 6.30 કલાકે પીએમ મોદી નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ટ્રેનને લીલી ઝંડી બતાવશે. સાંસદ અર્જુનલાલ મીણાએ શુક્રવારે જ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેનને જલ્દી ચલાવવાની માંગ કરી હતી અને તેમના પ્રયાસોને સફળતા મળી છે. હાલ આ નવી રેલ્વે લાઇન પર ત્રણ ટ્રેનો ચલાવવામાં આવશે.
તેમાંથી ટ્રેન નંબર 20963 સવારે 5.30 વાગ્યે ઉદયપુરથી નીકળીને સવારે 10.55 વાગ્યે અસારવા પહોંચશે અને એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 20964 તરીકે બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુરથી અસારવા માટે બીજી ટ્રેન નંબર 19703 દરરોજ સાંજે 5 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને રાત્રે 11 વાગ્યે અસારવા પહોંચશે. એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 19704 અસારવાથી સવારે 6.30 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુર સિટી સ્ટેશન ઉપરાંત એ ટ્રેનનો સ્ટોપ ઉમરાડા, જવર, જેસમંદ રોડ, સેમરી, ઋષભદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિંમતનગર, પ્રાણજીત, તલોદ, નાડોલ, દહેગામ, નરોડા અને સરદારગ્રામ પર છે.
જયપુરથી અસારવા વાયા ઉદયપુર પણ ચાલશે ટ્રેન
જણાવી દઈએ કે આ નવી રેલ લાઇન પર જયપુરથી અસારવા વાયા ઉદયપુર તરીકે એક ટ્રેનને પણ મંજૂરી આપવામાં આવી છે. જએ ટ્રેન નંબર જયપુરથી સાંજે 7.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે અસારવા પહોંચશે. એ જ ટ્રેન રિટર્નમાં ટ્રેન નંબર 12982 અસારવાથી સાંજે 6.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.45 વાગ્યે જયપુર પહોંચશે. આ ટ્રેનના સ્ટોપ ફૂલેરા જંકશન, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી જંકશન, રાણાપ્રતાપ નગર, ઉદયપુર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાડોલ, દહેગાંવ અને સરદાર ગ્રામ હશે.
ટ્રેનને જલ્દી ચલાવવાની માંગ કરી હતી
રેલવે બોર્ડે ત્રણેય ટ્રેનોના શેડ્યુઅલ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા હતા અને એ પછી ટૂંક સમયમાં ટ્રેનની કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી હતી. જણાવી દઈએ કે ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણા પર પણ જાહેર દબાણ હતું કે ટ્રેનને વહેલી તકે દોડાવવામાં આવે અને એટલા માટે એમને ઘણી વખત રેલ્વે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને રેલના સંચાલનની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી.