આયકર ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. ટ્રિબ્યૂનલે રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે આ એક વાણિજ્યિક સંગઠન છે. તેને અર્થ થાય છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડનો આયકર કેસ ફરી ખુલશે.
આયકર ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો
ટ્રિબ્યૂનલે કહ્યું, ટ્રસ્ટ તરફથી કોઇપણ કામ કરવામાં આવ્યું નથી કે જે આ ચેરિટેબલની શ્રેણીમાં આવે
ટ્રિબ્યૂનલે કહ્યું છે કે ટ્રસ્ટ તરફથી એવુ કોઇપણ કામ કરવામાં આવ્યું નથી કે જે આ ચેરિટેબલની શ્રેણીમાં આવતું હોય. કેમકે એજેએલને અધિગ્રહણ કરવાનો હેતુ પૂર્ણ નથી કરાયો. એજેએલને વરિષ્ઠ કોંગ્રેસ નેતા નિયંત્રિત કરે છે. જેમા ગાંધી પરિવાર પણ સામેલ છે. આ સમૂહ નેશનલ હેરાલ્ડ સમાચાર ચલાવે છે.
આ વર્ષે ઓગસ્ટ મહીનામાં પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ એજેએલ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલાની તપાસમાં આરોપપત્ર દાખલ કર્યું હતું.
પીએમએલએ હેઠળ તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણાના પંચકૂલામાં એક પ્લોટને એજેએલને વર્ષ 1982માં ફાળવવામાં આવ્યો હતો. પરંતુ તેને એસ્ટેટ અધિકારી એચયૂજીએએ 30 ઓક્ટોબર 1992ને પાછી લઇ લીધી હતી. કેમકે એજેએલે ફાળવણી પત્રની શરતોનું પાલન નહોતુ કર્યું. ઇડીએ સીબીઆઇની પ્રાથમિકતાના આધારે 2016માં પીએમએલએ ફરિયાદ નોંધી હતી.