9 દિવસ બાદ કરદાતાઓ પર 5 હજાર રૂપિયાનો દંડ લાગી શકે છે જો તેઓએ પોતાનું રિટર્ન ફાઈલ નહીં કર્યુ હોય. આ વખતે રિટર્ન ફાઈલ કરવામાં કોઈ પણ પ્રકારની છૂટ નહીં મળે.
વિલંબ પર થશે દંડ
જો તમે 31 જૂલાઈથી પહેલા ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહી કરો તો તમારા પર ઈન્કમ ટેક્ષ એક્ટના સેક્શન 234એફ અંતર્ગત દંડ લાગી શકે છે. 31 જૂલાઈ બાદ અને 31 ડીસેમ્બર પહેલા આઈટીઆર ફાઈલ કરવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ લાગશે. જ્યારે 31 ડિસેમ્બર બાદ આઈટીઆર ફાઈલ કરવા પર દંડની રકમ વધીને દસ હજાર રૂપિયા થઈ જશે. જો કે તમારી આવક 5 લાખ રૂપિયાથી વધારે નથી તો તમારે એક હજાર રૂપિયાનો જ દંડ ભરવાનો રહેશે.
ક્યાં સ્લેબમાં કેટલો ભરવાનો રહેશે ટેક્સ
આયકર વિભાગે દરેક સ્લેબ માટે અલગ-અલગ ટેક્સની મર્યાદા નક્કી કરી રાખી છે. આ ટેક્સ તમારી આવકના હિસાબે નક્કી કરવામાં આવે છે. જો તમારી આવક 2.5 લાખથી વધારે છે તો તમારે આઈટીઆર ફાઈલ કરવું અનિવાર્ય છે. જાણો ક્યા સ્લેબમાં કેટલો ટેક્સ ભરવાનો રહેશે...
આવક- 2.5 લાખથી 5 લાખ ટેક્સ-5 ટકા
આવક- 5 લાખથી 10 લાખ ટેક્સ-20 ટકા
આવક-10 લાખથી ઉપર ટેક્સ-30 ટકા
આ ઉપરાંત જો તમારી આવક 50 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે તો તમારે 10 ટકા સરચાર્જ તરીકે પણ ચુકવવાનો રહેશે જો તમારી આવક એક કરોડ રૂપિયાથી વધારે છે તો તમારે 15 ટકા સરચાર્જ આપવાનો રહેશે.