કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. આ સમયે કોરોના મહામારીમાં લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્સ પેયર્સને થોડી રાહત આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે હવે આયકર રિટર્ન ભરવાની ડેડલાઈન વધારી છે અને તેને 30 સપ્ટેમ્બર સુધીનો સમય કરી આપ્યો છે.
કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
કરદાતાઓ માટે આઇટી વિભાગની રાહત
આઇટી રિટર્ન ફાઇલ કરવાનો સમયગાળો 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયો
કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2018-19 માટે ટેક્સ ભરવાની તારીખને પહેલાં પણ આગળ વધારી હતી અને તેને માટે 31 જુલાઈ સુધીનો સમય કર્યો હતો. હવે ફરીથી ડેડલાઈનમાં વધારો કર્યો છે અને નવી તારીખ 30 સપ્ટેમ્બર જાહેર કરી છે. કોરોનાના સમયમાં આ બીજી વખત ડેડલાઈનમાં વધારો કરાયો છે.
In view of the constraints due to the Covid pandemic & to further ease compliances for taxpayers, CBDT extends the due dt for filing of Income Tax Returns for FY 2018-19(AY 2019-20) from 31st July, 2020 to 30th September, 2020,vide Notification in S.O. 2512(E) dt 29th July, 2020. pic.twitter.com/Wlzvf8S83x
આયકર વિભાગે ટ્વિટ કરીને કહ્યું છે કે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને બાધાઓ અને કરદાતાઓને માટે સરળતા માટે સીબીડીટીએ વર્ષ 2018-19ને માટે ટેક્સ ભરવાની તારીખ 31 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરી છે.
ત્રીજી વખત સીબીડીટીએ આયકર રિટર્નની તારીખ વધારી
ઉલ્લેખનીય છે કે આ ત્રીજી વખત છે જ્યારે સીબીડીટીએ આયકર રિટર્નની તારીખ વધારી છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે 31 માર્ચ સુધી ITR ભરવાનું હતું. આ પહેલાં 30 જૂન સુધી તેને વધારાયું હતું પછી 31 જુલાઈ અને હવે ત્રીજી વખત તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયું છે.